ભૂતનૈગમનયથી અંતરાત્મા ને બહિરાત્મા તો છે પણ આ તો પ્રગટ પર્યાયની વાત છે.
પરમાત્માનું સ્વરૂપ જાણીને અંતરાત્મા થઈને બહિરાત્મપણું છોડીને પરમાત્માનું ધ્યાન
કરવું એ ગાથાનો સાર છે. ત્રણ પ્રકારની પર્યાય બતાવીને હેતું શું?-કે દરેક જીવમાં
ત્રણ પ્રકારની શક્તિ પડી છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ જાણી અંતરાત્મા થઈ
બહિરાત્મપણું છોડી પરમાત્માનું ધ્યાન કરવું તે હેતુ છે, તે સાર છે. હવે સાતમી ગાથા
કહે છે;
सो बहिरप्पा जिण–भणिउ पुण संसार भमेइ ।। ७।।
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
થયો ત્યાં હું પંડિત છું એમ માને-એ બધા મિથ્યાદર્શનથી મોહિત થયેલા જીવો છે. મારુ
સ્વરૂપ એક સમયમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે-એનો આશ્રય કરતો નથી ને કર્મના
ઉદયથી મળેલી બાહ્ય ને અભ્યંતર સામગ્રીમાં, મિથ્યાશ્રદ્ધા દ્વારા હુંપણું સ્વીકારતો, એમાં
હું છું, એ મારા છે એમ માનતો થકો મિથ્યાત્વથી મોહિત થયેલો પરમાત્માને નથી
જાણતો. પોતાનું સ્વરૂપ જે અનંત જ્ઞાન, દર્શન ને આનંદ આદિની સમૃદ્ધિવાળું છે તેને
તે જાણતો નથી. ફક્ત બહારની અલ્પજ્ઞ અવસ્થા, રાગની અવસ્થા અને બહારના
અનુકૂળ-પ્રતિકૂળ સંયોગના અસ્તિત્વના સ્વીકારવામાં તેની દ્રષ્ટિ પડી છે.