પોષા, પ્રતિક્રમણમાં સામાયિકના નામ ધરાવીને બેઠો પણ પૂરણ શુદ્ધ સ્વરૂપ અખંડ
આત્માનો અંદર શ્રદ્ધામાં આદર નથી ત્યાં તેને દયા-દાન આદિ વિકલ્પ ઊઠે એ પરનો
જ એકલો આદર વર્તે છે તેથી તેને એકલો પરમાત્માનો જ ત્યાગ વર્તે છે, તેને પરમ
સ્વભાવનો ત્યાગ વર્તે છે.
દ્રષ્ટિમાં ત્યાગ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાય એ ભાવથી લાભ માનતો નથી. જે
ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે તેનાથી લાભ માને શી રીતે? સ્વરૂપમાં એકાગ્ર થઈશ
તો લાભ થશે એમ માને છે.
એક કણનો આદર છે તેને આખા ચૌદ બ્રહ્માંડનો ભોગ છે.-આવી વસ્તુસ્થિતિ છે
બાપુ!
સામગ્રીને પોતાની માને છે તે સંસારમાં રખડશે કારણ કે તેની દ્રષ્ટિમાંથી સ્વભાવની
અધિકતા છૂટી ગઈ છે, ને બહારની અધિકતા દ્રષ્ટિમાંથી જતી નથી તેથી તે નવા કર્મો
બાંધશે ને ચાર ગતિમાં રખડશે. અંતરાત્મા તો શુભાશુભ રાગના અભાવસ્વભાવ
સ્વરૂપ પૂરણ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો-ચોથા ગુણસ્થાનથી આત્માનો
અનુભવ કરતો થકો ‘પ્રગટ લહે ભવપાર’ શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરનાર,
પરભાવનો ત્યાગ કરનાર ક્રમે ક્રમે સંસારને મૂકી દેશે, તેને સંસાર રહેશે નહીં-એવા
જીવને પંડિત, જ્ઞાની, વીર ને શૂરવીર કહેવામાં આવે છે. ૮.
सो परमप्पा जिण–भणिउ एहउ जाणि णिमंतु ।। ९।।
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિર્ભ્રાન્ત.
ન હતા, દ્રષ્ટિમાંથી એકત્વબુદ્ધિમાંથી રાગ-દ્વેષ છૂટયા હતા પણ સ્થિરતા દ્વારા પૂરણ
છૂટયા ન હતા, એ રાગાદિ પરમાત્માને પૂરણ છૂટી ગયા છે, આઠ કર્મના રજકણને ને
પુણ્ય-પાપના મલિનભાવને પરમાત્માએ છોડયા છે.