એકાકાર થઈ તે પૂર્ણાનંદરૂપી નિર્વાણ ને મુક્તિ પામશે.
એમાં ને એમાં ઘોલન કરતાં નિર્વાણને પામશે, આત્મા ચૈતન્યજ્યોત જ્ઞાયક છે એમ
જાણ્યું ને એમાં ને એમાં સ્થિર થશે એટલે વિતરાગતાને પામશે; વચ્ચે વ્યવહાર આવશે
એની અહીં વાત પણ કરી નથી.
પ્રભુ, ચૈતન્યપ્રકાશની મૂર્તિ! પ્રકાશનો પ્રકાશક; રાગનો, જડનો પ્રકાશક આત્મા અને
પોતાના સ્વરૂપનો પણ પ્રકાશક એવો પ્રકાશક સ્વરૂપ ભગવાન આત્મા જાણ્યો કે હું તો
સ્વપરનો પ્રકાશક પ્રકાશનો પુંજ આત્મા છું-એમ જાણીને તેમાં જ સ્થિરતા કરતાં કરતાં
નિર્વાણને પામશે.
એટલે સંસારમાં રખડશે. આત્માને આત્મા જાણે તો મુક્તિ ને આત્માને પરરૂપે જાણે તો
સંસારભ્રમણ, વિકાર તે સંસાર છે, વિકારને પોતારૂપે માનશે તો એમાં ને એમાં રહેશે,
વિકારમાં ને વિકારમાં રહેશે, સંસારમાં ને સંસારમાં રહેશે.
મુક્તિ અને સંસારની બન્ને વાત એક ગાથામાં સમાવી દીધી.