માર્ગની વાત છે. માર્ગ એક જ છે, બીજો માર્ગ હોઈ શકે જ નહિ. ‘એક હોય
ત્રણકાળમાં પરમારથનો પંથ...’ ભગવાન આત્મા ચેતનાને વેદે, ચેતનાને કરે એવું જ
ચૈતન્યનું સ્વરૂપ છે. રાગને કરે કે હરખને ભોગવે એ વસ્તુસ્વરૂપ જ નથી. સંસારના
ભાવને કરે કે સંસારભાવને હરખથી વેદે એ આત્મા જ નથી.
આત્મા નથી, એ તો અણાત્મા છે. વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો ઊઠે તેને કરે કે વેદે તે
આત્મા નથી આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે તે તો જ્ઞાનને જાણીને જ્ઞાનને અનુભવે, જ્ઞાનને
વેદે, જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતાનો અનુભવ કરે એવો છે.
આત્મા જાણ, એ આત્માનો અનુભવ કર, એ શિવના લાભનો હેતુ છે. નિરૂપદ્રવ,
કલ્યાણમૂર્તિ મુક્તદશાના લાભનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
બીજાને કહેજે કે સમજાવજે-તો એવો આત્મા છે જ નહિ. સર્વજ્ઞ તીર્થંકર ભગવાન
ત્રિલોકનાથ દેવ ફરમાવે છે કે ભાઈ ! તું તો સત્યબુદ્ધ છો ને! સાચું બુદ્ધપણું તું છો
એને જાણીને તેનો અનુભવ કર. એ જ મોક્ષના લાભનો હેતુ ને કારણ છે, એ સિવાય
બીજું કોઈ કારણ નથી.
સમજું કે બીજાને સમજાવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. પોતાથી પોતાને જાણે એવો
ભગવાન આત્મા છે. જાણપણાના વિશેષ બોલથી બીજાને સમજાવે તો તે અધિક છે
એવું આત્માનું સ્વરૂપ છે જ નહિ.
નથી. કેમ કે જો આત્મા એવો હોય તો સિદ્ધ ભગવાન પણ બોલવા જોઈએ!
પોતે વીતરાગીબિંબ પરમેશ્વરદેવ જિન છે. અંદરમાં પરમાત્મસ્વરૂપ છે તે તારા માટે
જિન છે. સમવસરણમાં