છોડીને આત્માનો અનુભવ કર તો મોક્ષનગરમાં પહોંચીશ. અહા ભાઈ! તું ધીરો થા.
ધીરો થા. તારા સ્વભાવમાં અનંત અનંત આનંદના સાગર ડોલે છે. તેની શ્રદ્ધા, જ્ઞાન
ને સ્થિરતા કરતા અલ્પકાળમાં તારી મુક્તિ થશે. આ સિવાય મુક્તિનો બીજો કોઈ
ઉપાય નથી. પુણ્યભાવ પણ તને મદદ કરે તેમ નથી. તે તો તને અટકાવનારા છે. માટે
તેને છોડ.
પરિણામ કે જે બંધના કારણ છે તેને છોડે તો તે ‘અવિચળ શિવપુર જાય.’- શિવપુરને
પામે છે. નહીંતર ચાર ગતિમાં રખડશે.-આમ જિનવર કહે છે.
આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા કર તો તે દ્વારા તને અલ્પકાળમાં મુક્તિ થશે.
વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત
કરવો છે, તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા
કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો
અનંતકાળથી ચડી ગઈ છે તો એકવાર આત્માની ધૂન
તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર
અંતર્મુખનો પ્રયત્ન કર તો જરૂર તને આત્માની
પ્રાપ્તિ થશે.