Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 110

 

background image
નોકષાય કોને કહે છે?
ઉ. જે આત્માના યથાખ્યાતચારિત્રનો ઘાત કરે,
તેને સંજ્વલન અને નોકષાય કહે છે.
૧૬૨ પ્ર. આયુકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માને નારક, તિર્યંચ, મનુષ્ય અને
દેવના શરીરમાં રોકી રાખે તેને આયુકર્મ કહે છે. અર્થાત્
આયુકર્મ આત્માના અવગાહ ગુણને ઘાતે છે.
૧૬૩ પ્ર. આયુકર્મના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છેઃનરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ
અને દેવાયુ.
૧૬૪ પ્ર. નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવને ગતિ વગેરે જુદા જુદા રૂપે
પરિણમાવે અથવા શરીરાદિક બનાવે; ભાવાર્થનામકર્મ
આત્માના સૂક્ષ્મત્વગુણને ઘાતે છે.
૧૬૫ પ્ર. નામકર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રાણુ (૯૩), ચારગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય
અને દેવ), પાંચજાતિ(એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય), પાંચ શરીર (ઔદારિક, વૈક્રિયિક,
આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક,
વૈક્રિયિક, આહારક), એક નિર્માણ કર્મ, પાંચ બંધન કર્મ
(ઔદારિકબંધન, વૈક્રિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન
અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક,
આહારક, તૈજસ, કાર્માણ), છ સંસ્થાન (સમચતુરસ્ર
સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક
સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન), છ સંહનન
(વજ્રર્ષભનારાચ સંહનન, વજ્રનારાચ સંહનન, નારાચ
સંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિક સંહનન અને
અંસપ્રાપ્તસૃપાટિકા સંહનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો,
રાતો, પીળો, ધોળો), બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગંધ), પાંચ રસ
કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો), આઠ સ્પર્શ (કઠોર,
કોમલ, હલકો, ભારે, ઠંડો ગરમ, ચીકણો, લૂખો), ચાર
આનુપૂર્વ્ય
(નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગત્યાનુપૂર્વ્ય),
અગુરુલઘુત્વ કર્મ એક, ઉપઘાત કર્મ એક, પરઘાત કર્મ એક,
આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક
મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉચ્છ્વાસ એક, ત્રસ એક, સ્થાવર
૩૬ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૩૭