૨૧૪ પ્ર. આદેય નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કાંતિસહિત શરીર ઊપજે,
તેને આદેય નામકર્મ કહે છે.
૨૧૫ પ્ર. અનાદેય નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી કાંતિસહિત શરીર ન હોય,
તેને અનાદેય નામકર્મ કહે છે.
૨૧૬ પ્ર. યશઃકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા
થાય, તેને યશઃકીર્તિ નામકર્મ કહે છે.
૨૧૭ પ્ર. અપયશઃકીર્તિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા ન
થાય, તેને અપયશઃકીર્તિ નામકર્મ કહે છે.
૨૧૮ પ્ર. તીર્થંકર નામકર્મ કોને કહે છે?
ઉ. અર્હંત પદના કારણભૂત કર્મને તીર્થંકર
નામકર્મ કહે છે.
૨૧૯ પ્ર. ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સંતાનનાં ક્રમના ચાલતા
આવેલ જીવના આચરણરૂપ ઉચ્ચ-નીચ ગોત્રમાં જન્મ થાય,
તેને ગોત્રકર્મ કહે છે.
૨૨૦ પ્ર. ગોત્રકર્મના કેટલા ભેદ છે?
ઉ. બેઃ – ઉચ્ચગોત્ર અને નીચગોત્ર.
૨૨૧ પ્ર. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય.
૨૨૨ પ્ર. નીચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી નીચ કુળમાં જન્મ થાય.
૨૨૩ પ્ર. અંતરાય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ દાનાદિક કરવામાં વિઘ્ન નાંખે.
૨૨૪ પ્ર. અંતરાય કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચઃ – દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય,
ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય; દરેકનો અર્થ એ કે
દરેકમાં વિઘ્ન નાંખે.
૨૨૫ પ્ર. પુણ્ય કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે.
૫૦ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૧