Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 110

 

background image
૪, નામકર્મ ૯૩ અને ગોત્ર ૨, એ પ્રમાણે ૧૦૧ છે.
૨૩૮ પ્ર. સર્વઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. એકવીશ (૨૧) છેઃ જ્ઞાનાવરણની ૧
(કેવળજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૬, (કેવળ દર્શનાવરણ ૧
અને નિદ્રા ૫, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪ (અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧
અને સમ્યગ્મિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે.
૨૩૯ પ્ર. દેશઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. છવ્વીસ (૨૬) છેઃજ્ઞાનાવરણની ૪ (મતિ-
જ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને
મનઃપર્યયજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૩. (ચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ) અચક્ષુર્દર્શનાવરણ મોહનીયની ૧૪
(સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અંતરાયની
એ પ્રમાણે છવ્વીસ છે.
૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ચાર છેઃનરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે.
૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. ચાર છેઃનરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને
દેવાયુ.
૨૪૨ પ્ર. જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. ઇઠ્ઠયોતેર (૭૮) છેઃઘાતિકર્મની ૪૭,
ગોત્રની ૨, વેદનીયની ૨ અને નામકર્મની ૨૭ (તીર્થંકર
પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ,
સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશઃકીર્તિ,
અપયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત
વિહાયોગતિ,
અપ્રશસ્ત વિહાયોગતિ, સુભગ, દુર્ભગ, ગતિ ૪, જાતિ ૫)
એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે.
૨૪૩ પ્ર. પુદ્ગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ
છે?
ઉ. બાસઠ છેઃ(સર્વપ્રકૃતિ ૧૪૮માંથી ક્ષેત્રવિપાકી
૪, ભવવિપાકી ૪, જીવવિપાકી ૭૮ એવી રીતે સર્વ મળીને
૫૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫૫