૧૦૦નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦માં
ઉમેરવાથી પ્રથમ ગુણહાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી
રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું
પરિણામ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ
ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું.
વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને
વર્ગ કહે છે. પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે ૫૧૨
વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન
છે. અને તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગ-
પ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વેથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે.
દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની
અધિકતા ક્રમથી જે વર્ગણાપર્યંત એક એક અવિભાગ-
પ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક
સ્પર્દ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપત્ (એક સાથે)
વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ
જાય, ત્યાંથી બીજા સ્પર્દ્ધકનો પ્રારંભ સમજવો. એવી જ
રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના
અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા, ચારગુણા આદિ
અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજો, ચોથો આદિ
સ્પર્દ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં
અનેક સ્પર્દ્ધક થાય છે.
ઉપાદાનકારણ