Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 110

 

background image
ગુણહાનિઆયામ ૮ થી ગુણવાથી ૧૦૦ થાય છે. તે
૧૦૦નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦માં
ઉમેરવાથી પ્રથમ ગુણહાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી
રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું
પરિણામ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ
ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું.
૨૮૮ પ્ર. અનુભાગની રચનાનો ક્રમ ક્યો છે?
ઉ. દ્રવ્યની અપેક્ષાથી જે રચના ઉપર બતાવી છે
તેમાં પ્રત્યેક ગુણહાનિના પ્રથમાદિ સમય સંબંધી દ્રવ્યને
વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને
વર્ગ કહે છે. પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે ૫૧૨
વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન
છે. અને તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગ-
પ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વેથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે.
દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની
અધિકતા ક્રમથી જે વર્ગણાપર્યંત એક એક અવિભાગ-
પ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક
સ્પર્દ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપત્ (એક સાથે)
અનેક અવિભાગપ્રતિચ્છેદોની વૃદ્ધિ થઈને પ્રથમ વર્ગણાના
વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ
જાય, ત્યાંથી બીજા સ્પર્દ્ધકનો પ્રારંભ સમજવો. એવી જ
રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના
અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા, ચારગુણા આદિ
અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજો, ચોથો આદિ
સ્પર્દ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં
અનેક સ્પર્દ્ધક થાય છે.
૨૮૯ પ્ર. આસ્રવ કોને કહે છે?
ઉ. બંધના કારણને આસ્રવ કહે છે.
૨૯૦ પ્ર. આસ્રવના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃદ્રવ્યબંધનું નિમિત્તકારણ, દ્રવ્યબંધનું
ઉપાદાનકારણ, ભાવબંધનું નિમિત્તકારણ અને ભાવબંધનું
ઉપાદાનકારણ
૨૯૧ પ્ર. કારણ કોને કહે છે?
ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે.
૬૮ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૬૯