Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 110

 

background image
દેવગત્યાનુપૂર્વી ૧, રૂપ ૧, રસ ૧, ગંધ ૧, સ્પર્શ ૧,
અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧,
બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ
૧, સુસ્વર ૧, આદેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જુગુપ્સા ૧, ભય
૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ
૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ
૧, મનઃપર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શના-
વરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલ-
દર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગા-
ન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧,
અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે.
૩૨૯ પ્ર. યોગના નિમિત્તથી કઈ કઈ પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. એક શાતા વેદનીયનો બંધ થાય છે.
૩૩૦ પ્ર. કર્મપ્રકૃતિ સર્વે ૧૪૮ છે અને કારણ માત્ર
૧૨૦નાં લખ્યાં, તો પછી ૨૮ પ્રકૃતિઓનું શું થયું?
ઉ. સ્પર્શાદિ ૨૦ની જગ્યાએ ૪નું ગ્રહણ કરેલું છે,
એ કારણથી ૧૬ તો એ ઘટી, અને પાંચે શરીરના પાંચે
બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી
તે દશ ઘટી અને સમ્યગ્મિથ્યાત્વ તથા સમકિત મોહનીય
એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દ્રષ્ટિ જીવ
પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે
પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ
ઘટી ગઈ.
૩૩૧ પ્ર. દ્રવ્યાસ્રવના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃએક સામ્પરાયિક અને બીજો ઇર્યાપથ.
૩૩૨ પ્ર. સાંપરાયિક આસ્રવ કોને કહે છે?
ઉ. જે કર્મ પરમાણુ જીવના કષાયભાવોના
નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય,
તેના આસ્રવને સાંપરાયિક આસ્રવ કહે છે.
૩૩૩ પ્ર. ઇર્યાપથ આસ્રવ કોને કહે છે?
ઉ. જે કર્મ પરમાણુઓનો બંધ, ઉદય અને નિર્જરા
એક જ સમયમાં થાય, તેના આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે
છે.
૮૦ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૮૧