૩૫૯ પ્ર. ગતિ કોને કહે છે?
ઉ. ગતિનામા નામકર્મના ઉદયથી જીવના
પર્યાયવિશેષને ગતિ કહે છે.
૩૬૦ પ્ર. ગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ,
દેવગતિ.
૩૬૧ પ્ર. ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. આત્માના લિંગને (ચિહ્નને) ઇન્દ્રિય કહે છે.
૩૬૨ પ્ર. ઇન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
૩૬૩ પ્ર. દ્રવ્યેન્દ્રિય કોને કહે છે?
ઉ. નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે.
૩૬૪ પ્ર. નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. પ્રદેશોની રચનાવિશેષને નિર્વૃત્તિ કહે છે.
૩૬૫ પ્ર. નિર્વૃત્તિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – બાહ્ય નિર્વૃત્તિ અને આભ્યંતર નિર્વૃત્તિ.
૩૬૬ પ્ર. બાહ્ય નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોનાં આકારરૂપ પુદ્ગલની રચનાવિશેષને
બાહ્ય નિર્વૃત્તિ કહે છે.
૩૬૭ પ્ર. અભ્યંતર નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર
રચનાવિશેષને આભ્યંતર નિર્વૃત્તિ કહે છે.
૩૬૮ પ્ર. ઉપકરણ કોને કહે છે?
ઉ. જે નિર્વૃત્તિનો ઉપકાર (રક્ષા) કરે, તેને ઉપકરણ
કહે છે.
૩૬૯ પ્ર ઉપકરણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – આભ્યંતર અને બાહ્ય.
૩૭૦ પ્ર. આભ્યંતર ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્ર, ઇન્દ્રિયમાં કૃષ્ણ શુક્લ મંડલની માફક સર્વે
ઇન્દ્રિયોમાં જે નિર્વૃત્તિનો ઉપકાર કરે, તેને આભ્યંતર
ઉપકરણ કહે છે.
૩૭૧ પ્ર. બાહ્ય ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્ર – ઇન્દ્રિયમાં પલક વગેરેની માફક જે
૮૮ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૮૯