Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 110

 

background image
૪૧૦ પ્ર. સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે.
૪૧૧ પ્ર. સમ્યક્ત્વમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છેઃઉપશમસમ્યક્ત્વ, ક્ષયોપશમ-
સમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, સમ્યગ્મિથ્યાત્વ, સાસાદન અને
મિથ્યાત્વ.
૪૧૨ પ્ર. સંજ્ઞી કોને કહે છે?
ઉ. જેમાં સંજ્ઞા હોય, તેને સંજ્ઞી કહે છે.
૪૧૩ પ્ર. સંજ્ઞા કોને કહે છે?
ઉ. દ્રવ્યમન દ્વારા શિક્ષાદિ ગ્રહણ કરવાને સંજ્ઞા કહે
છે.
૪૧૪ પ્ર. સંજ્ઞીમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક સંજ્ઞી અને બીજો અસંજ્ઞી.
૪૧૫ પ્ર. આહાર કોને કહે છે?
ઉ. ઔદારિક આદિ શરીર અને પર્યાપ્તિયોગ્ય
પુદ્ગલોને ગ્રહણ કરવાને આહાર કહે છે.
૯૮ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯૯
૪૧૬ પ્ર. આહારમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃઆહારક અને અનાહારક.
૪૧૭ પ્ર. અનાહારક જીવ કઈ કઈ અવસ્થામાં થાય
છે?
ઉ. વિગ્રહગતિ, અને કોઈ કોઈ સમુદ્ઘાતમાં અને
અયોગકેવળી અવસ્થામાં જીવ અનાહારક થાય છે.
૪૧૮ પ્ર. વિગ્રહગતિ કોને કહે છે?
ઉ. એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન
કરવાને વિગ્રહ ગતિ કહે છે.
૪૧૯ પ્ર. વિગ્રહગતિમાં ક્યો યોગ હોય છે?
ઉ. કાર્માણયોગ હોય છે.
૪૨૦ પ્ર. વિગ્રહગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃૠજુગતિ, પાણિમુક્તાગતિ,
લાંગલિકાગતિ અને ગોમૂત્રિકા ગતિ.
૪૨૧ પ્ર. એ વિગ્રહગતિઓમાં કેટલો કેટલો કાળ
લાગે છે?
ઉ. ૠજુગતિમાં એક સમય, પાણિમુક્તા અર્થાત્