રચના છે, લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રમાં ૯૬
અંતરદ્વીપ છે, જેમાં કુભોગભૂમિની રચના છે. ત્યાં મનુષ્ય
જ રહે છે, તેમાં મનુષ્યોની આકૃતિ નાના પ્રકારની કુત્સિત
છે.
ત્રીજો અધ્યાય સમાપ્ત
❁
ચોથો અધયાય
૪૬૯ પ્ર. સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે
અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખને પ્રાપ્ત
કેમ થયા નથી?
ઉ. સંસારી જીવ (ખરા) અસલી સુખનું સ્વરૂપ અને
તેનો ઉપાય જાણતા નથી અને તેનું સાધન પણ કરતા નથી,
તેથી ખરા સુખને પ્રાપ્ત થતા નથી.
૪૭૦ પ્ર. અસલી સુખનું સ્વરૂપ શું છે?
ઉ. આહ્લાદસ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની
શુદ્ધદશાને અસલી સુખ કહે છે. એજ જીવનો ખાસ સ્વભાવ
છે, પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શાતાવેદનીય કર્મના
નિમિત્તે તે ખરા સુખના વૈભાવિક પરિણતિરૂપ
શાતાપરિણામને જ સુખ માની રાખ્યું છે.
૪૭૧ પ્ર. સંસારી જીવને અસલી સુખ કેમ મળતું
નથી?
ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રના
૧૧૨ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧૩ૂાી જૈન સિાંત પ્રવેશિકા