સૂક્ષ્મસાંપરાય, ૧૧ ઉપશાંતમોહ, ૧૨ ક્ષીણમોહ, ૧૩
સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચૌદ ગુણસ્થાન છે.
ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના
નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના
નિમિત્તથી છે. ભાવાર્થઃ પહેલું મિથ્યાત્વગુણસ્થાન
દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના
પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યગ્મિથ્યાત્વ અથવા
ઉભયરૂપ થાય છે.
ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજું ગુણસ્થાન
દર્શનમોહનીય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ
એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા
રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી
પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ
ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં
ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી
શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી
સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી
અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ
અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.