લોભના ઉદયથી વ્રત રહિત સમ્યક્ત્વધારી ચોથા
ગુણસ્થાનવર્તી થાય છે.
૫૦૧ પ્ર. આ ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય
છે. જેમાં મનુષ્યાયુ, દેવાયુ અને તીર્થંકર પ્રકૃતિએ ત્રણ
સહિત ૭૭ પ્રકૃતિઓનો બંધ આ ચોથામાં થાય છે.
૫૦૨ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ સમ્યગ્મિથ્યાત્વ બાદ
કરવાથી ૯૯ રહી, તેમાં ચાર અનુપૂર્વી અને એક
સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓ ઉમેરવાથી ૧૦૪
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૦૩ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. સર્વની; અર્થાત્ ૧૪૮ પ્રકૃતિઓની; પરંતુ ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિને ૧૪૧ પ્રકૃતિઓની જ સત્તા છે.
૫૦૪ પ્ર. પાંચમા દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે?
ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના
ઉદયથી જોકે સંયમભાવ થતો નથી, તોપણ
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન, માયા, લોભના ઉપશમથી
શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર થાય છે, તેને જ દેશવિરત નામે
પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમું આદિ ઉપરનાં સર્વ
ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી
સમ્યગ્જ્ઞાન અવશ્ય થાય છે, એના વિના પાંચમા, છઠ્ઠા
વગેરે ગુણસ્થાનો થતાં નથી.
૫૦૫ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૭૭ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન ૧૦ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ,
માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી,
મનુષ્યાયુ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ,
૧૨૮ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૨૯