વજ્રૠષભનારાચ સંહનન)ને બાદ કરવાથી બાકી રહેલી ૬૭
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૦૬ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ ૧૭ (અપ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા, લોભ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, દેવાયુ,
નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, વૈક્રિયિકશરીર,
વૈક્રિયિકઅંગોપાંગ, મનુષ્યગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ)ને બાદ કરવાથી બાકી રહેલી
૮૭ પ્રકૃતિઓનો ઉદય છે.
૫૦૭ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૪૮ની સત્તા રહેવાનું
કહ્યું છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ એક નરકાયુ વગર ૧૪૭
પ્રકૃતિની સત્તા છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિની અપેક્ષાએ
૧૪૦ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૦૮ પ્ર. છઠ્ઠા પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી
સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને ય એક સાથે
થાય છે. (જોકે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્ર
ગુણનો વિરોધી છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો
ઉપશમ થવાથી પ્રાદુર્ભૂત સકલ સંયમને ઘાતવામાં સમર્થ
નથી, તેથી ઉપચારથી સંયમનો ઉત્પાદક કહ્યો છે) તેથી
આ ગુણસ્થાનવર્તી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી
કહે છે.
૫૦૯ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંધ
થાય છે, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ
એ ચાર વ્યુચ્છિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી બાકી રહેલી ૬૩
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૧૩૦ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩૧