૫૧૦ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ આઠ (પ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા, લોભ, તિર્યગ્ગતિ, તિર્યગાયુ, ઉદ્યોત અને
નીચગોત્ર) ને ઘટાડવાથી બાકી રહેલી ૭૯ પ્રકૃતિઓમાં
આહારક શરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ
ઉમેરવાથી ૮૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૧૧ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા
છે?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા
કહી છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ એક તિર્યગાયુને
ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે.
૫૧૨ પ્ર. સાતમા અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી
પ્રમાદરહિત સંયમભાવ થાય છે, તે કારણથી આ
ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમત્તવિરત કહે છે.
૫૧૩ પ્ર. અપ્રમત્તવિરતગુણસ્થાનના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – સ્વસ્થાન અપ્રમત્તવિરત અને
સાતિશય અપ્રમત્તવિરત.
૫૧૪ પ્ર. સ્વસ્થાનઅપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને
સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે જાય, તેને
સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે.
૫૧૫ પ્ર. સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે શ્રેણી ચઢવાને સન્મુખ હોય, તેને સાતિશય
અપ્રમત્તવિરત કહે છે.
૫૧૬ પ્ર. શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ અને દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ
જ શ્રેણી ચઢે છે, પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા તથા
ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
પ્રથમોપશમસમ્યક્ત્વવાળા જીવ પ્રથમોપશમ-
૧૩૨ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩૩