Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 71 of 110

 

background image
સમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ થઈને પ્રથમ જ
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું વિસંયોજન
કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા
તો દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ થઈ જાય અથવા ત્રણે
પ્રકૃતિઓનો ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય, ત્યારે
શ્રેણી ચઢવાને પાત્ર થાય છે.
૫૧૭ પ્ર. શ્રેણી કોને કહે છે?
ઉ. જ્યાં ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧
પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય, તેને શ્રેણી કહે
છે.
૫૧૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી.
૫૧૯ પ્ર. ઉપશમશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો
ઉપશમ કરાય, તેને ઉપશમશ્રેણી કહે છે.
૫૨૦ પ્ર. ક્ષપકશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય.
૫૨૧ પ્ર. એ બન્ને શ્રેણીઓમાં ક્યા ક્યા જીવ ચઢે
છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ તો બન્ને ય શ્રેણીએ ચઢે છે
અને દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે,
ક્ષપકશ્રેણી ચઢતો નથી.
૫૨૨ પ્ર. ઉપશમશ્રેણીને ક્યા ક્યા ગુણસ્થાન છે?
ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે. આઠમું
અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસામ્પરાય
અને અગિયારમું ઉપશાન્ત મોહ છે.
૫૨૩ પ્ર. ક્ષપક શ્રેણીને ક્યા ક્યા ગુણસ્થાન છે?
ઉ. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું
સૂક્ષ્મસામ્પરાય, બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે.
૫૨૪ પ્ર. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના
ઉપશમાવવાને તથા ક્ષય કરવાને માટે આત્માના ક્યા
પરિણામ નિમિત્ત કારણ છે?
ઉ. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ
ત્રણ નિમિત્ત છે.
૧૩૪ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩૫