Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 72 of 110

 

background image
૫૨૫ પ્ર. અધઃકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં (પરિણામ સમૂહમાં)
ઉપરિતનસમયવર્તી તથા અધસ્તનસમયવર્તી જીવોના
પરિણામ સદ્રશ તથા વિસદ્રશ હોય, તેને અધઃકરણ કહે છે.
તે અધઃકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે.
૫૨૬ પ્ર. અપૂર્વકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ
પરિણામ થતાં જાય અર્થાત્ ભિન્નસમયવર્તી જીવોના
પરિણામ સદાય વિસદ્રશ જ હોય અને એક સમયવર્તી
જીવોના પરિણામ સદ્રશ પણ હોય અને વિસદ્રશ પણ હોય,
તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે.
૫૨૭ પ્ર. અનિવૃત્તિકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ
વિસદ્રશ જ હોય, અને એક સમયવર્તી જીવોના પરિણામ
સદ્રશ જ હોય, તેને અનિવૃત્તિકરણ કહે છે. એ જ નવમું
ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોના પરિણામ પ્રતિસમય
અનંતગુણી વિશુદ્ધતા માટે થાય છે.
૫૨૮ પ્ર. અધઃકરણનું દ્રષ્ટાત શું છે?
ઉ. એક દેવદત્ત નામના રાજાને ૩૦૭૨ મનુષ્ય (જે
૧૬ કચેરીમાં બેઠેલા) સેવક છે. પહેલી કચેરીમાં ૧૬૨
મનુષ્ય છે, બીજીમાં ૧૬૬, ત્રીજીમાં ૧૭૦, ચોથીમાં ૧૭૪,
પાંચમીમાં ૧૭૮, છઠ્ઠીમાં ૧૮૨, સાતમીમાં ૧૮૬,
આઠમીમાં ૧૯૦, નવમીમાં ૧૯૪, દશમીમાં ૧૯૮,
અગિયારમીમાં ૨૦૨, બારમીમાં ૨૦૬, તેરમીમાં ૨૧૦,
ચૌદમીમાં ૨૧૪, પંદરમીમાં ૨૧૮ અને સોળમીમાં ૨૨૨
મનુષ્ય કામ કરે છે.
પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્યમાંથી પહેલા મનુષ્યનો
પગાર રૂા. ૧, બીજાનો રૂા. ૨, ત્રીજાનો રૂા. ૩, એવી રીતે
એકે એક વધતા ૧૬૨મા મનુષ્યનો પગાર ૧૬૨ છે.
બીજી કચેરીમાં ૧૬૬ મનુષ્યો કામ કરે છે, તેમાંથી
પહેલા મનુષ્યનો પગાર રૂા. ૪૦ છે અને બીજા, ત્રીજા
વગેરેના પગારમાંથી એક એક રૂપિયો ક્રમથી વધારતાં ૧૬૬
મનુષ્યનો પગાર રૂા. ૨૦૫ છે.
ત્રીજી કચેરીમાં ૧૭૦ મનુષ્યો કામ કરે છે, તેમાંથી
૧૩૬ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩૭