૫૩૧ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ
૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને
૧૩૯ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૩૨ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ એક દેવાયુના ઘટાડવાથી
૫૮ પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૩૩ પ્ર. આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૭૬ પ્રકૃતિઓનો
ઉદય કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ચાર (સમ્યક્પ્રકૃતિ,
અર્દ્ધનારાચ, કીલક, અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન)ના
ઘટાડવાથી બાકી રહેલી ૭૨ પ્રકૃતિઓનો ઉદય થાય
છે.
૫૩૪ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૧૪૬ પ્રકૃતિઓની
સત્તા કહી છે, તેમાંથી વ્યુચ્છિત્તિ અનંતાનુબંધી ક્રોધ, માન,
માયા, લોભ એ ચારને ઘટાડવાથી દ્વિતીયોપશમ સમ્યગ્દ્રષ્ટિ
ઉપશમશ્રેણીવાળાને તો ૧૪૨ પ્રકૃતિની સત્તા છે, પરંતુ
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ ઉપશમશ્રેણીવાળાને દર્શનમોહનીયની ત્રણ
પ્રકૃતિરહિત ૧૩૯ ની સત્તા રહે છે અને ક્ષપકશ્રેણીવાળાને
સાતમા ગુણસ્થાનની વ્યુચ્છિત્તિપ્રકૃતિ આઠ [અનંતાનુબંધી
ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહનીયની ત્રણ અને
એક દેવાયુ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૩૮ પ્રકૃતિઓની
સત્તા રહે છે.
૫૩૫ પ્ર. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૫૮ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિપ્રકૃતિ છત્રીસ (નિદ્રા, પ્રચલા,
તીર્થંકર, નિર્માણ, પ્રશસ્ત, વિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ,
તૈજસ શરીર, કાર્માણ શરીર, આહારક શરીર, આહારક
૧૪૦ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૪૧