Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 75 of 110

 

background image
અંગોપાંગ, સમચતુરસ્ર સંસ્થાન, વૈક્રિયકશરીર, વૈક્રિયક
અંગોપાંગ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ,
અગુરુલઘુત્વ, ઉપઘાત, પરઘાત, ઉચ્છ્વાસ, ત્રસ, બાદર,
પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભઘ, સુભગ, સુસ્વર, આદેય,
હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય) ઘટાડવાથી બાકી રહેલી ૨૨
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૩૬ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૭૨ પ્રકૃતિઓનો ઉદય
થાય, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છ (હાસ્ય, રતિ, અરતિ,
શોક, ભય, જુગુપ્સા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૬
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૩૭ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. આઠમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં
પણ ઉપશમશ્રેણીવાળા દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨,
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિની અને ક્ષપકશ્રેણીવાળાને
૧૩૪ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૩૮ પ્ર. દશમા ગુણસ્થાન સૂક્ષ્મસામ્પરાયનું સ્વરૂપ
શું છે?
ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના
ઉદયનો અનુભવ કરતા જીવને સૂક્ષ્મસાંપરાય નામનું દશમું
ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
૫૩૯ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૨૨ પ્રકૃતિઓનો બંધ
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ (પુરુષવેદ, સંજ્વલન
ક્રોધ, માન, માયા, લોભ)ને ઘટાડવાથી બાકી રહેલી ૧૭
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૪૦ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૬૬ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છ (સ્ત્રીવેદ, પુરુષવેદ,
નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા)ને ઘટાડવાથી બાકી
રહેલી ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૧૪૨ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૪૩