Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 76 of 110

 

background image
૫૪૧ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ઉપશમશ્રેણીમાં તો નવમા ગુણસ્થાનની માફક
દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિ અને ક્ષપકશ્રેણીવાળાને નવમા
ગુણસ્થાનમાં જે ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે, તેમાંથી
વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ૩૬ (તિર્યગ્ગતિ ૧, તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧,
વિકલત્રયની ૩, નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૧, સ્ત્યાનગૃદ્ધિ
૧, ઉદ્યોત ૧, આતાપ ૧, એકેન્દ્રિય ૧, સાધારણ ૧, સૂક્ષ્મ
૧, સ્થાવર ૧, અપ્રત્યાખ્યાનાવરણની ૪,
પ્રત્યાખ્યાનાવરણની ૪, નોકષાયની ૯, સંજ્વલન ક્રોધ ૧,
માન ૧, માયા ૧, નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧) ને
ઘટાડવાથી બાકી રહેલી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે.
૫૪૨ પ્ર. અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ
થવાથી યથાખ્યાતચારિત્રને ધારણ કરવાવાળા મુનિને
અગિયારમું ઉપશાંતમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ
ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતાં મોહનીયના ઉદયથી જીવ
નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે.
૫૪૩ પ્ર. ૧૧મા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં જે ૧૭ પ્રકૃતિઓનો બંધ
થતો હતો, તેમાંથી વ્યુચ્છિત્તિપ્રકૃતિ ૧૬ એટલે જ્ઞાનાવરણની
૫, દર્શનાવરણની ૪, અંતરાયની ૫, યશકીર્તિ ૧, ઉચ્ચગોત્ર
૧, એ સર્વને ઘટાડવાથી બાકી રહેલી એક માત્ર
શાતાવેદનીય પ્રકૃતિનો બંધ થાય છે.
૫૪૪ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં જે ૬૦ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ એક સંજ્વલન લોભને
ઘટાડવાથી બાકી રહેલી ૫૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૪૫ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. નવમા ગુણસ્થાન અને દશમા ગુણસ્થાનની
૧૪૪ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૪૫