Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 79 of 110

 

background image
૫૫૬ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. તેરમા ગુણસ્થાનમાં જે ૪૨ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ત્રીશ [વેદનીય ૧,
વજ્રૠષભનારાચ સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર
૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુઃસ્વર ૧, ઔદારિક
શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તૈજસ શરીર ૧, કાર્માણ
શરીર ૧, સમચતુરસ્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧,
કુબ્જક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧,
વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ
૧ અને પ્રત્યેક]ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ
(વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાયુ ૧, પંચેન્દ્રિય જાતિ
૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧,
યશઃકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧)નો ઉદય
થાય છે.
૫૫૭ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે.
ઉ. તેરમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ
૮૫ પ્રકૃતિઓની સત્તા છે, પરંતુ દ્વિચરમ સમયમાં ૭૨ અને
અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને,
અરહંત ભગવાન મોક્ષે પધારે છે.
ચોથો અધ્યાય સમાપ્ત
૧૫૦ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫૧