Moksha Marg Prakashak (Gujarati). Sanvaratattva Sambandhi Ayatharth Shraddhan Nirjaratattva Sambandhi Ayatharth Shraddhan Mokshatattva Sambandhi Ayatharth Shraddhan.

< Previous Page   Next Page >


Page 75 of 370
PDF/HTML Page 103 of 398

 

background image
સંવરતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
વળી આસ્રવનો અભાવ થવો તે સંવર છે. જો આસ્રવને યથાર્થ ન ઓળખે તો તેને
સંવરનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? જેમ કોઈનું અહિત આચરણ છે, પણ તેને તે અહિતરૂપ
ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આસ્રવની પ્રવૃત્તિ
છે; તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? વળી
અનાદિકાળથી આ જીવને આસ્રવભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી તેથી સંવર
થવો તેને ભાસતો પણ નથી, સંવર થતાં સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહિ થાય.
પરંતુ એમ તેને ભાસતું નથી તેથી તે આસ્રવનો તો સંવર કરતો નથી પણ એ અન્ય પદાર્થોને
દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી,
માત્ર નિરર્થક ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે સંવરતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ
અયથાર્થ થાય છે.
નિર્જરાતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
બંધનો એકદેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું
યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી હોય? જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુઃખ થતું જે ન જાણે તે તેને
નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે? તેમ એ બંધનરૂપ કરેલાં કર્મોથી દુઃખ થાય છે એમ
જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે? વળી આ જીવને ઇંદ્રિયો વડે સૂક્ષ્મરૂપ
કર્મોનું તો જ્ઞાન થતું નથી તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી તેથી
અન્ય પદાર્થોનાં નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે; પણ
તે પોતાના આધીન નથી. કદાચિત્ દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઇષ્ટ સંયોગાદિ કાર્ય
બને છે તે પણ કર્માનુસાર બને છે. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે.
એ પ્રમાણે
નિર્જરાતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
મોક્ષતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધને વા બંધજનિત સર્વદુઃખોને
ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ ક્યાંથી થાય? જેમ કોઈને રોગ છે તે આ રોગને
વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? એ રીતે આ
જીવને કર્મબંધન છે, આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને
કેવી રીતે જાણે? વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્યપદાર્થોને
દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે, તથા આ જીવ એમ તો
જાણે છે કે
‘‘સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી
ચોથો અધિકારઃ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૫