Moksha Marg Prakashak (Gujarati). Mithyacharitranu Swaroop.

< Previous Page   Next Page >


Page 79 of 370
PDF/HTML Page 107 of 398

 

background image
ઉત્તરઃછે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય?
પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યગ્ એવી સંજ્ઞા મિથ્યાદર્શનસમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે.
જેમ મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું
મિથ્યાદ્રષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ
મિથ્યાજ્ઞાન
સમ્યગ્જ્ઞાનનું કારણ મિથ્યાદર્શનસમ્યગ્દર્શન જાણવું. તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાન
શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલાં કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત
છે માટે તેને પાછળ કહેવું; પણ જ્યાં મિથ્યા સમ્યગ્જ્ઞાન
શ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન
કારણભૂત હોવાથી તેને પહેલાં કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું.
પ્રશ્નઃજ્ઞાનશ્રદ્ધાન તો યુગપત્ હોય છે, તો તેમાં કારણકાર્યપણું કેવી
રીતે કહો છો?
ઉત્તરઃ‘એ હોય તો એ હોય’ એ અપેક્ષાએ કારણકાર્યપણું હોય છે. જેમ દીપક
અને પ્રકાશ એ બંને યુગપત્ હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ
છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન
શ્રદ્ધાનને પણ છે અથવા મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાનને
તથા સમ્યગ્દર્શનસમ્યગ્જ્ઞાનને કારણકાર્યપણું જાણવું.
પ્રશ્નઃજો મિથ્યાદર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યાજ્ઞાન નામ પામે છે તો એક
મિથ્યાદર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યાજ્ઞાન જુદું શા માટે કહ્યું?
ઉત્તરઃજ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિને ક્ષયોપશમથી થયેલા
યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા તે જ્ઞાન કેવળજ્ઞાનમાં પણ જઈ મળે છે, જેમ નદી
સમુદ્રમાં જઈ મળે છે; તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં
એક જ્ઞેયમાં લાગે. હવે આ મિથ્યાદર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞેયોમાં તો લાગે પણ
પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનમાં દોષ થયો, અને
તેને જ મિથ્યાજ્ઞાન કહ્યું. તથા જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ
થયો તેથી તેને મિથ્યાદર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણભેદથી મિથ્યાદર્શન
મિથ્યાજ્ઞાન જુદાં કહ્યાં
છે. એ પ્રમાણે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્ત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ
તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુજ્ઞાન પણ કહીએ છીએ. હવે મિથ્યાચારિત્રનું
સ્વરૂપ કહે છે.
મિથ્યાચારિત્રનું સ્વરુપ
ચારિત્રમોહના ઉદયથી કષાયભાવ થાય છે, તેનું નામ મિથ્યાચારિત્ર છે. અહીં પોતાની
સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. (‘‘આ સુખી છે.’’) એવી જૂઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઇચ્છે
ચોથો અધિકારઃ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૯