Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 370
PDF/HTML Page 109 of 398

 

background image
વિષ્ટા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ
લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક
જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઇષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે.
તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ
શરીર ઇષ્ટ છે પણ રોગાદિસહિત થતાં અનિષ્ટ થઈ જાય છે; તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ
કારણ મળતાં અનિષ્ટ થતાં જોઈએ છીએ. ઇત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ
જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઇષ્ટ થતું જોઈએ છીએ. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે
છે પણ તે સાસરામાં ઇષ્ટ લાગે છે.
ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ
અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને
ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ
જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ
અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.
વળી એ પદાર્થો સુખદાયકઉપકારી યા દુઃખદાયકઅનુપકારી થાય છે તે કાંઈ
પોતાની મેળે થતા નથી. પણ પુણ્યપાપના ઉદયાનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય
છે તેને પદાર્થનો સંયોગ સુખદાયકઉપકારી થાય છે તથા જેને પાપનો ઉદય થાય છે તેને
પદાર્થનો સંયોગ દુઃખદાયકઅનુપકારી થાય છે, એ પ્રત્યક્ષ જોઈએ છીએ. કોઈને સ્ત્રીપુત્રાદિક
સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતાં કોઈને નફો થાય છે ત્યારે કોઈને
નુકશાન થાય છે. કોઈને સ્ત્રી
પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર
બની જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની મેળે ઇષ્ટઅનિષ્ટ હોતા નથી પણ કર્મોદય
અનુસાર પ્રવર્તે છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઇચ્છાનુસાર કોઈ પુરુષને ઇષ્ટ
અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી પણ તેના સ્વામીનું કર્તવ્ય છે, છતાં એ
પુરુષ પેલા નોકરને જ ઇષ્ટ
અનિષ્ટ માને તો એ જૂઠ છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો
કર્માનુસાર જીવને ઇષ્ટઅનિષ્ટ ઉપજાવે ત્યાં એ કાંઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી પણ કર્મનું
કર્તવ્ય છે, છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટઅનિષ્ટ માને એ જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ
થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષ કરવો મિથ્યા છે.
પ્રશ્નઃબાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે, તો એ કર્મોમાં
તો રાગદ્વેષ કરવો?
ઉત્તરઃકર્મ તો જડ છે, તેમને કાંઈ સુખદુઃખ આપવાની ઇચ્છા નથી. વળી તે
સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતાં નથી, પણ જીવભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ
પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? તેમ જ
આ જીવ પોતાના રાગાદિક ભાવોવડે પુદ્ગલને કર્મરૂપ પરિણમાવી પોતાનું બૂરું કરે ત્યાં કર્મનો
શો દોષ? માટે એ કર્મોથી પણ રાગ
દ્વેષ કરવો મિથ્યાત્વ છે.
ચોથો અધિકારઃ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૯૧