અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે, એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ
થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય
થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો
ઉદય છે, તે તો બળવાન છે તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ
મંદ હોવાથી બાહ્ય પદાર્થોનાં નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ
વડે રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત ઇષ્ટબુદ્ધિ હોય છે તથા
જે પદાર્થોના આશ્રય વડે દ્વેષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત
અનિષ્ટબુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ
મિથ્યાચારિત્રના જ ભેદ સમજવા. એનું વર્ણન પહેલાં જ કરી ગયા. એ મિથ્યાચારિત્રમાં
સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ, તથા એ પરિણામ
મટતા નથી વા વિરક્ત નથી તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે
પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું
હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા બાર પ્રકારની અવિરતિ કહી છે.
કષાયભાવ થતાં જ એવાં કાર્યો થાય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ
જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. કારણ કે હિંસા, અનૃત, ચોરી, અબ્રહ્મચર્ય
અને પરિગ્રહ એ પાપકાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત્તયોગ છે.
એ પ્રમત્તયોગ કષાયમય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે
મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહ્યું.