Moksha Marg Prakashak (Gujarati). Mohano Mahima.

< Previous Page   Next Page >


Page 84 of 370
PDF/HTML Page 112 of 398

 

background image
એ પ્રમાણે સંસારી જીવને મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્રરૂપ પરિણમન અનાદિ-
કાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંજ્ઞી સુધી સર્વ જીવોને હોય છે તથા સંજ્ઞી
પંચેન્દ્રિયોમાં સમ્યગ્દ્રષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. વળી એ પરિણમન
જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિકને ઇન્દ્રિયાદિકની હીનતા
અધિકતા હોય
છે વા ધનપુત્રાદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે. તેના નિમિત્તથી મિથ્યાદર્શનાદિકનું
વર્ણન કર્યું છે ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિય
શરીરાદિકનાં નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે
પરિણમન હોય છે. જેમ
‘‘હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે.’’ એ પ્રમાણે તેઓ નામ
જાણતા નથી તોપણ તેના અર્થરૂપ જે ભાવ છે તે-રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિક
કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે
તે જાણી લેવા.
મોહનો મહિમા
એ પ્રમાણે આ જીવને મિથ્યાદર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, નવીન ગ્રહેલા નથી.
જુઓ તો ખરા એનો મહિમા કેજે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શિખવાડે પણ મોહના
ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે. વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાનાં કારણો
મળવા છતાં પણ સમ્યક્પરિણમન થતું નથી. શ્રીગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ
વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે
તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએઃ
મરણ થતાં શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે, એક શરીરને છોડી આત્મા અન્ય
શરીર ધારણ કરે છે, તે વ્યંતરાદિક પોતાના પૂર્વ ભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ,
તોપણ આ જીવને શરીરથી ભિન્નબુદ્ધિ થઈ શકતી નથી. સ્ત્રી
પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થનાં
સગાં જોઈએ છીએ, તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતાં જોઈએ છીએ, છતાં
આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદિમાં જવાના કારણરૂપ નાના પ્રકારનાં
પાપ ઉપજાવે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને
પોતાની માને છે. વળી શરીરની અવસ્થા વા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી
વિણસતી જોઈએ
છીએ, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કર્તા થાય છે. ત્યાં જો પોતાની ઇચ્છાનુસાર કાર્ય
થાય તેને તો કહે કે
‘‘આ મેં કર્યું’’, અને તેથી અન્યથા થાય તો કહે કે‘‘હું શું કરું?
આમ જ થવા યોગ્ય હતું, વા આમ કેમ થયું?’’ એમ માને છે. પણ કાં તો સર્વના કર્તા
જ રહેવું હતું અગર કાં તો અકર્તા જ રહેવું હતું! પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી.
મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ મરણના નિશ્ચયવડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહિ,
૯૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક