Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 89 of 370
PDF/HTML Page 117 of 398

 

background image
પદાર્થોની જાતિ એક ભાસતી નથી કારણ કેતેમાં તો કોઈ ચેતન છે તથા કોઈ અચેતન છે
ઇત્યાદિ અનેકરૂપ છે, તેની એક જાતિ કેમ કહેવાય? એ પ્રમાણે જાતિ અપેક્ષાએ પણ એકપણું
માનવું એ માત્ર કલ્પના જ છે એમ પહેલાં કહ્યું છે. વળી એ બ્રહ્મ પ્રથમ એક હતું પણ
પાછળથી ભિન્ન થયું માનો છો તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેના ટૂકડા થઈ જાય
છે તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ
ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તે
ભિન્ન જ છે તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય અને ચેતન
જડ બની જાય. વળી જો અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ
તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને, પણ એમ માનતાં ‘અનાદિ અનંત એક બ્રહ્મ
છે’ એમ કહેવું બનશે નહિ.
તમે કહેશો કે‘લોકરચના થતાં વા ન થતાં પણ બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે
તેથી એ બ્રહ્મ અનાદિઅનંત છે.’ ત્યાં અમે પૂછીએ છીએ કેલોકમાં પૃથ્વીજળાદિ જોવામાં
આવે છે તે જુદાં કોઈ નવીન ઉત્પન્ન થયાં છે કે બ્રહ્મ પોતે જ એ રૂપ બન્યું છે? જો જુદાં
નવીન ઉત્પન્ન થયાં હોય તો એ સ્વયં ન્યારાં થયાં અને બ્રહ્મ પણ ન્યારું થયું. તો સર્વવ્યાપી
અદ્વૈતબ્રહ્મ ન ઠર્યું. વળી જો બ્રહ્મ પોતે જ એ (પૃથ્વી
જળાદિ) રૂપ થયું છે તો તે કોઈ વેળા
લોકરૂપ અને કોઈ વેળા બ્રહ્મરૂપ થયું પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું?
ત્યારે તેઓ કહે છે કે‘સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી પણ તેનો કોઈ અંશ
જ થાય છે.’ તેને અમે કહીએ છીએ કેજેમ સમુદ્રનું એક બિંદુ વિષરૂપ થયું હોય તે
સ્થૂળદ્રષ્ટિવડે તો દેખાતું નથી, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં એક બિંદુઅપેક્ષાએ પણ સમુદ્રમાં
અન્યથાપણું થયું. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય ત્યાં સ્થૂળદ્રષ્ટિએ
તો એ અંશ દેખાતો નથી પણ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં એ એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં
અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી.
એ પ્રમાણે સર્વરૂપ બ્રહ્મ માનવું એ પણ ભ્રમ જ છે.
વળી એક પ્રકાર આ છે કે‘‘જેમ આકાશ સર્વવ્યાપી એક છે તેમ બ્રહ્મ પણ
સર્વવ્યાપી એક છે. જો એ પ્રમાણે તમે માનો છો તો આકાશની માફક વિશાળ બ્રહ્મને માનો,
અથવા જ્યાં ઘટપટાદિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં બ્રહ્મ પણ છે એમ પણ માનો,
પરંતુ જેમ ઘટપટાદિક તથા આકાશને એક જ કહીએ એ કેમ બને? તેમ લોક અને બ્રહ્મને
એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે તેથી તેનો તો સદ્ભાવ
સર્વત્ર મનાય છે, પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી તો તેનો સદ્ભાવ સર્વત્ર કેમ
મનાય? એ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વરૂપ બ્રહ્મ કોઈ છે જ નહીં.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૯૯