Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 94 of 370
PDF/HTML Page 122 of 398

 

background image
તું કહીશ કે‘‘સંસારી તો માયાને આધીન છે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો
કરે છે, પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે.’ એમ
કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે
માયાને આધીન થતાં તો કામક્રોધાદિક જ ઊપજે છે,
અન્ય શું થાય છે? એ બ્રહ્માદિકને તો કામક્રોધાદિકની તીવ્રતા હોય છે. જુઓ, કામની તીવ્રતા
વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્યગાનાદિક કરવા લાગ્યા, વિહ્વળ થવા લાગ્યા અને નાના
પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા; ક્રોધને વશીભૂત થતાં અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યા; માનને
વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત
થતાં અનેક છળ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા.
ઇત્યાદિ ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા
દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, રુંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા,
બહુરૂપધારણાદિ ભૂતોની
ક્રિયા અને ગાયચરાવવાદિ નીચા કુળવાળાઓની ક્રિયા,ઇત્યાદિ નિંદ્ય ક્રિયાઓ તેઓ કરવા
લાગ્યા. તો એથી અધિક માયાવશ થતાં શું શું ક્રિયા થાત તે સમજાતું નથી. બાહ્ય કુચેષ્ટાસહિત
તીવ્ર કામ
ક્રોધાદિકધારી એ બ્રહ્માદિકોને માયારહિત માનવા તે તો જેમ કોઈ મેઘપટલસહિત
અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે.
ત્યારે તે કહે છે કે‘‘એમને કામક્રોધાદિ વ્યાપ્ત થતાં નથી એ પણ પરમેશ્વરની
લીલા છે.’’ તેને અમે કહીએ છીએ કેએવાં કાર્ય કરે છે તે ઇચ્છા વડે કરે છે કે ઇચ્છા
વિના? જો ઇચ્છાવડે કરે છે તો સ્ત્રીસેવનની ઇચ્છાનું જ નામ કામ છે, યુદ્ધ કરવાની ઇચ્છાનું
જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે
તો પોતે જેને ન ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે?
વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો
પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા,
સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો.
વળી તે કહે છે કે‘‘પરમેશ્વરને તો કાંઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ
માટે વા ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે અવતાર ધરે છે.’’ પણ પ્રયોજન વિના
એક કીડી પણ કોઈ કાર્ય ન કરે તો પરમેશ્વર શા માટે કરે? વળી એ પ્રયોજન પણ શું
લોક-રીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને
શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય?
नानारूपाय मुण्डाय वरूथपृथुदंडिने
नमः कपालहस्ताय दिग्वासाय शिखण्डिने ।। (મત્સપુરાણ અ૦ ૨૫૦ શ્લોક નં. ૨)
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।।। (ગીતા૮)
૧૦૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક