ન થયા પરંતુ અન્ય ગોપીઓ
સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય?
બહુ ક્યાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને
ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે.
કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલા અને ભસ્મ ધારણ કરે છે તે શા
માટે ધારણ કરે છે? તે રુંડમાલા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંદ્ય છે. તો
તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો
છે પણ યોગી બની જોડે સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું તેણે શા માટે કર્યું? જો કામાસક્ત
હતા તો ઘરમાં જ રહેવું હતું! તથા નાનાપ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો
કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે.
વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ
પણ કહે તો ‘‘બ્રહ્મ સર્વવ્યાપી છે’’ એવું વિશેષણ શા માટે આપો છો? ‘સૂર્યાદિકમાં વા
સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;’’ હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાગિ ગુણો
વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક
રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ
માનો! તેમને નાના