Moksha Marg Prakashak (Gujarati). Gyanyog Mimamsa.

< Previous Page   Next Page >


Page 109 of 370
PDF/HTML Page 137 of 398

 

background image
તેથી તું જ ઠાકોરજી થયો? તથા જો એક છો તો ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું
થયું. કારણ કે
એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજનાસક્ત પુરુષો દ્વારા
આવી કલ્પના કરવામાં આવે છે.
વળી ઠાકોરજીના માટે નૃત્યગીતાદિક કરવામાં તથા શીતગ્રીષ્મવસંતાદિ ૠતુઓમાં
સંસારીઓમાં સંભવતી એવી વિષયસામગ્રી એકઠી કરવી, ઇત્યાદિ કાર્યો તેઓ કરે છે. ત્યાં નામ
તો ઠાકોરજીનું લેવું, અને ઇન્દ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત
જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની
કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા
છોકરી, ગુડ્ડાગુડ્ડીના ખેલ બનાવી કુતૂહલ કરે,
તેમ આ પણ કુતૂહલ કરવા જેવું જ છે. પરમાર્થરૂપ ગુણ તેમાં કાંઈ પણ નથી. બાળ
ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય
પોષણ કરે
અને કહે કે‘‘આ પણ ભક્તિ છે.’’ ઇત્યાદિ ઘણું શું કહીએ? એવી એવી અનેક વિપરીતતા
સગુણભક્તિમાં હોય છે.
એ પ્રમાણે બે પ્રકારની ભક્તિવડે તેઓ મોક્ષમાર્ગ કહે છે, પણ તેનું સ્વરૂપ મિથ્યા
સમજવું.
હવે અન્યમત પ્રરૂપિત જ્ઞાનયોગવડે મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીએ છીએ.
જ્ઞાનયોગ મીમાંસા
એક અદ્વૈતસર્વવ્યાપી પરમબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો
પહેલાં જ કહ્યું છે.
વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો, કામક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ
જાણવાં તેને જ્ઞાન કહે છે, પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે
કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ
ક્રોધાદિક થતા દેખાય
છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ
વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય?
વળી તેઓ કહે છે કે‘‘મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોરડી તે દોરડી
જ છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતોએ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો
બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ
છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
ખરો, પણ પોતે કામ
ક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે?
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૯