Moksha Marg Prakashak (Gujarati). Anyamatakalpit Mokshamargani Mimamsa.

< Previous Page   Next Page >


Page 113 of 370
PDF/HTML Page 141 of 398

 

background image
વળી તેઓ કોઈને ઘણાં તપશ્ચરણાદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે. ત્યારે કોઈને
સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવાદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો
કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું
જ નથી.
એ પ્રમાણે તેઓ મોક્ષમાર્ગનું અન્યથા પ્રરૂપણ કરે છે.
અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા
કેટલાક મોક્ષસ્વરૂપનું પણ અન્યથા પ્રરૂપણ કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે
છેઃ
એક તો મોક્ષ એવો કહે છે કે‘‘વૈકુંઠધામમાં ઠાકોરજી ઠકુરાણીસહિત નાના
ભોગવિલાસ કરે છે, ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ (સેવા) કર્યા કરે તે મોક્ષ છે.’’
પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા
છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ,
ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યાં કરે, તો
જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ
કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે‘‘ત્યાં ઈશ્વરની સમાન પોતે થાય છે.’’ એ પણ મિથ્યા
છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદાં હોય તો ઘણા ઈશ્વર થતાં લોકનો કર્તાહર્તા કોણ
ઠરશે? બધાય ઠરશે તો તેમાં જુદીજુદી ઇચ્છા થતાં પરસ્પર વિરોધ થાય. તથા ઈશ્વર એક
જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાથી ઉચ્ચતા પામવાની
વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના
મોટા રાજાઓ હોય છે, તેમ
મોક્ષમાં પણ નાનામોટા ઈશ્વર થયા. એમ પણ બને નહિ.
એક મોક્ષ એવો કહે છે કેવૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં
જ્યોત જઈ મળે છે,’’ એ પણ મિથ્યા છે. કારણ કેદીપકની જ્યોતિ તો મૂર્તિકઅચેતન છે
એવી જ્યોતિ ત્યાં કેમ સંભવે? વળી જ્યોતમાં જ્યોત મળતાં આ જ્યોત રહે છે કે નાશ પામે
છે? જો રહે છે તો જ્યોત વધતી જશે; અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી
જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ
પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે‘‘આત્મા બ્રહ્મ જ છે, માયાનું આવરણ મટતાં મુક્તિ જ
છે.’’ એ પણ મિથ્યા છે. કારણ કે તે માયાના આવરણસહિત હતો; ત્યારે બ્રહ્મથી એક હતો
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૩