Moksha Marg Prakashak (Gujarati). Anyamat Niroopit Tattva Vichar Sankhya Mat Nirakaran.

< Previous Page   Next Page >


Page 115 of 370
PDF/HTML Page 143 of 398

 

background image
એ પ્રમાણે આ ક્ષેત્રકાળમાં જે જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું.
પ્રશ્નઃજો એ મતો મિથ્યા છે, તો મોટા મોટા રાજાદિકો વા મોટા વિદ્યાવાન
એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તરઃજીવોને મિથ્યાવાસના અનાદિથી છે, હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ
છે, વળી જીવોને વિષયકષાયરૂપ કાર્યોની ઇચ્છા વર્તે છે અને તેમાં વિષયકષાયરૂપ કાર્યોનું
જ પોષણ છે. તથા રાજાદિકો અને વિદ્યાવાનોનું એવા ધર્મમાં વિષયકષાયરૂપ પ્રયોજન સિદ્ધ
થાય છે, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલ્લંઘી પાપ પણ જાણીને તે જે કાર્યોને કરવા
ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની
પ્રવૃત્તિ વિશેષ છે.
પ્રશ્નઃએ ધર્મમતોમાં પણ વિરાગતા અને દયા ઇત્યાદિક કહ્યાં છે?
ઉત્તરઃજેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય (નાણું) ચાલે નહિ, તેમ સાચ મેળવ્યા
વિના જૂઠ ચાલે નહિ; પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષયકષાયનું જ પોષણ કર્યું છે.
જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધનિરૂપણ
કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે,
તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે.
જુઓ! આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા અને હિંદુઓ ઘટી ગયા, તથા
હિંદુઓમાં પણ અન્ય તો વધી ગયા અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે.
એ પ્રમાણે આ ક્ષેત્રમાં, આ કાળમાં મિથ્યાધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે.
અન્યમત નિરુપિત તત્ત્વ વિચાર
હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિવડે જુદાજુદા મત સ્થાપિત થયા છે, તેમાં જે
તત્ત્વાદિક માને છે, તેનું નિરૂપણ કરીએ છીએ.
સાંખ્યમત નિરાકરણ
સાંખ્યમતમાં પચીસ તત્ત્વ માને છે, તે અહીં કહીએ છીએસત્ત્વ, રજ અને તમઃ એ
ત્રણ ગુણ કહે છે. સત્ત્વવડે પ્રસાદ (પ્રસન્નતા) થાય છે, રજોગુણવડે ચિત્તની ચંચળતા થાય છે,
તથા તમોગુણવડે મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ
છે તેનાથી બુદ્ધિ ઊપજે છે. તેનું જ નામ મહત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે, અહંકારથી
સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે
સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર તથા
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૫