તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે? પરંતુ
પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએઃ —
✾ અન્યમતથી જૈનધાર્મની તુલના ✾
જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે. કથાઓમાં, લોકાદિકના
નિરૂપણમાં, આચરણમાં વા તત્ત્વમાં જ્યાં – ત્યાં વીતરાગતાને જ પોષણ કરી છે. પણ અન્ય
મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના
કરી, કષાયભાવને જ પોષે છે. જેમ કે – અદ્વૈતબ્રહ્મવાદી – સર્વને બ્રહ્મ માનવા વડે, સાંખ્યમતી –
સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધ – અકર્તા માનવાવડે, શિવમતી તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ
હોવી માનવાવડે, મીમાંસક – કષાયજનિત આચરણને ધર્મ માનવાવડે, બૌદ્ધ – ક્ષણિક માનવાવડે,
તથા ચાર્વાક – પરલોકાદિક નહિ માનવાવડે, વિષયભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ
પોષણ કરે છે. જોકે તેઓ કોઈ ઠેકાણે કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, તો એ
છળવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું
ઠરાવ્યું, પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી, તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે
છે.
ત્યારે જૈનધર્મમાં દેવ – ગુરુ – ધર્માદિકનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરી કેવળ
વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે. કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વ
મતવાળા કહે છે. અને તે આગળ અન્યમતનાં જ શાસ્ત્રોની સાક્ષીવડે જૈનમતની સમીચીનતા
અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું.
અન્યમતી ભર્તૃહરિએ પણ શૃંગાર પ્રકરણમાં એમ કહ્યું છે કેઃ —
एको रागिषु राजते प्रियतमादेहार्द्धधारी हरो,
र्नरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात्परः ।
दुर्वारस्मरवाणपन्नगविषव्यासक्तमुग्धो जनः
शेषः कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षणः ।।१७।।
આ શ્લોકમાં સરાગીઓમાં મહાદેવ તથા વીતરાગીઓમાં જિનદેવને પ્રધાન કહ્યા છે.
વળી સરાગભાવમાં અને વીતરાગભાવમાં પરસ્પર પ્રતિપક્ષીપણું છે, તેથી એ બંને ભલા નથી;
પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે. જેના હોવાથી તત્કાળ
* રાગીપુરુષોમાં તો એક મહાદેવ શોભે છે કે જેમણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધા શરીરમાં
ધારણ કરી રાખી છે. તથા વિરાગીઓમાં જિનદેવ શોભે છે કે – જેમના સમાન સ્ત્રીઓનો સંગ છોડવાવાળો
બીજો કોઈ નથી. બાકીના લોકો તો દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂર્ચ્છિત થયા છે. કે
જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે – ન તો છોડી શકે છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૭