ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર
પુષ્ટ રહ્યા કરે છે, તથા ૠદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ
બન્યું રહે છે, તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર
પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી
રીતે યાચે?
પ્રતિજ્ઞા કરી હતી, તેનો નિર્વાહ કેવી રીતે થાય? જીવ અંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે
આહારગ્રહણ કરે? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે
લખ્યું, પણ તેનું નિંદ્યપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી
વિરુદ્ધતા ઉપજે છે.
પેઠુંગાનો (પેચિસનો) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.’’ પણ તીર્થંકર
કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિવડે પૂજ્યપણું કેમ
શોભે? વળી તેઓ નિહાર કેવી રીતે કરે? ક્યાં કરે? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા
કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રોગાદિકયુક્તિ છદ્મસ્થને
ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે.
ગૌતમને જ સંબોધન કેમ બને? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના
વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી,
તો એ કેમ બને?
જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડ્યો?