તેથી મમત્વ નથી.’’ હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના
વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શામાટે કરવામાં
આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી
વેચતા નથી; પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે
છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં
એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય, તો
કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાધે, તેને પણ
નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ
નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ
મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે.
છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્મોહનીયનો ઉદય છે, પણ તે
સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી, તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી
શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે
કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતીકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે. તથા જેમને
દેશઘાતીનો ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ
થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી.
અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે.
રાખતાં ધર્મ હોય જ નહિ