Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 152 of 370
PDF/HTML Page 180 of 398

 

background image
સંભવતું નથી, અગર કાં તો સારી રચના જોઈ વિષય પોષતા હશે, પણ સમ્યગ્દ્રષ્ટિ
અર્હંતમૂર્તિવડે પોતાનો વિષય પોષે, એમ પણ સંભવતું નથી, પરંતુ ત્યાં તેની ભકિત આદિ જ
કરે છે, એમ જ સંભવે છે.
તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે, ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે;
તેને લોપવા માટે તેઓ કહે છે કે‘‘દેવનું એવું જ કર્તવ્ય છે.’’ એ સાચું, પરંતુ કર્તવ્યનું ફળ
તો અવશ્ય હોય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જો ધર્મ થાય છે તો બીજે
ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થયો, તો તેને અન્યની સદ્રશ કેમ કહેવાય? કારણ કે
એ તો યોગ્યકાર્ય થયું. તથા પાપ થાય છે, તો ત્યાં ‘‘णमोत्थुणं’’ નો પાઠ ભણ્યો, હવે પાપના
ઠેકાણે એવો પાઠ શામાટે ભણ્યો?
વળી એક વિચાર અહીં એ થાય છે કે‘‘णमोत्थुणं’’ના પાઠમાં તો અર્હંતની ભક્તિ
છે. પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો, માટે જે અરિહંતભક્તિની ક્રિયા છે તે
પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ.
વળી જો તે એમ કહે કે‘‘દેવોને એવાં કાર્ય હોય છે, પણ મનુષ્યોને નહિ, કારણ
કે પ્રતિમાદિ બનાવતાં મનુષ્યોને હિંસા થાય છે.’’ તો તેમના જ શાસ્ત્રોમાં એવું કથન છે કે
‘‘દ્રૌપદીરાણી સૂર્યાભદેવની માફક પ્રતિમાજીનું પૂજનાદિક કરવા લાગી, માટે મનુષ્યોને પણ એ
કાર્ય કર્તવ્ય છે.
અહીં એક એ વિચાર થાય છે કેજો ચૈત્યાલયપ્રતિમા બનાવવાની પ્રવૃત્તિ નહોતી,
તો દ્રૌપદીએ પ્રતિમાનું પૂજન કેવી રીતે કર્યું? તથા એ પ્રવૃત્તિ જો હતી, તો બનાવવાવાળા
ધર્માત્મા હતા કે પાપી? જો તેઓ ધર્માત્મા હતા, તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય
થયું. તથા પાપી હતા, તો ત્યાં ભોગાદિકનું પ્રયોજન તો હતું નહિ, પછી શામાટે બનાવ્યું?
વળી દ્રૌપદીએ ત્યાં
‘‘णमोत्थुणं’’નો પાઠ કર્યો, વા પૂજનાદિક કર્યું તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યો?
જો કુતૂહલ કર્યું તો તે મહાપાપિણી થઈ, કારણ ધર્મથી કુતૂહલ શું? તથા ધર્મ કર્યો, તો
બીજાઓએ પણ પ્રતિમાજીની સ્તુતિ
પૂજા કરવી યુક્ત છે.
અહીં તેઓ એવી મિથ્યાયુક્તિ બનાવે છે કે‘‘જેમ ઇન્દ્રની સ્થાપનાથી ઇન્દ્રની કાર્યસિદ્ધિ
નથી, તેમ અરહંતપ્રતિમાવડે કાર્યસિદ્ધિ નથી.’’ પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા
હોય તો એમ પણ માનીએ, પરંતુ તે તો વીતરાગી છે. આ જીવ ભક્તિરૂપ પોતાના ભાવોથી
શુભફળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ઠ
પાષાણની મૂર્તિ દેખી ત્યાં વિકારરૂપ થઈ
અનુરાગ કરે, તો તેને પાપબંધ થાય, તેમ અરહંતના આકારરૂપ ધાતુકાષ્ઠપાષાણની મૂર્તિ
દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તો શુભની પ્રાપ્તિ કેમ ન થાય? ત્યારે તે કહે છે કે
‘‘પ્રતિમા વિના જ અમે અરહંતમાં અનુરાગવડે શુભ ઉપજાવીશું.’’ તેને કહીએ છીએ કેઆકાર
૧૬૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
21