Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 370
PDF/HTML Page 192 of 398

 

background image
એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવામાનવાનો નિષેધ છે.
જુઓ તો ખરા મિથ્યાત્વની મહિમા! લોકમાં તો પોતાનાથી નીચાને નમતાં પોતાને નિંદ્ય
માને છે, પણ અહીં મોહિત બની રોડાંપર્યંતને પૂજતાં પણ નિંદ્યતા માનતો નથી. લોકમાં પણ
જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે, તેની જ સેવા કરે છે, પણ મોહિત બની
‘‘કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે’’ તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે.
વળી આ કુદેવોનું સેવન કરતાં હજારો વિઘ્ન થાય, તેને તો ગણે નહિ, અને કોઈ પુણ્યના
ઉદયથી ઇષ્ટકાર્ય થઈ જાય તેને કહે કે
‘‘આના સેવનથી આ કાર્ય થયું.’’ કુદેવાદિકના સેવન
કર્યા વિના જે ઇષ્ટકાર્યો થાય, તેને તો ગણે નહિ, પણ કોઈ અનિષ્ટ થાય, તેને કહે કે‘‘આનું
સેવન કર્યું નહિ, તેથી અનિષ્ટ થયું.’ એટલું પણ વિચારતો નથી કેજો ઇષ્ટઅનિષ્ટ કરવું
તેમના જ આધીન હોય, તો જે તેમને પૂજે, તેને ઇષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે,
તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી. કારણ કે
શીતલાને ઘણી માનવા છતાં
પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ
છીએ. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી.
એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી.
પ્રશ્નઃ‘કાર્યકારી ભલે ન હો! પણ તેને માનવાથી કાંઈ બગાડ તો થતો નથી?’
ઉત્તરઃજો બગાડ ન થતો હોય, તો અમે શામાટે નિષેધ કરીએ? પરંતુ તેમને
માનવાથી એક તો મિથ્યાત્વાદિક દ્રઢ થવાથી મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ મોટો
બગાડ છે. બીજું એનાથી પાપબંધ થાય છે, અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છીએ એ જ
બગાડ છે.
પ્રશ્નઃમિથ્યાત્વાદિભાવ તો અતત્ત્વશ્રદ્ધાનાદિક થતાં થાય, તથા પાપબંધ
ખરાબ કાર્યો કરતાં થાય છે, પણ આમને માનવાથી મિથ્યાત્વાદિભાવ અને પાપબંધ કેવી
રીતે થાય?
ઉત્તરઃપ્રથમ તો પરદ્રવ્યોને ઇષ્ટઅનિષ્ટ માનવાં, એ જ મિથ્યાત્વ છે. કારણ કે
કોઈ દ્રવ્ય કોઈનું મિત્રશત્રુ છે જ નહિ. વળી જે ઇષ્ટઅનિષ્ટ પદાર્થ મળે છે, તેનું કારણ
પુણ્યપાપ છે, માટે જેમ પુણ્યબંધ થાય, પાપબંધ ન થાય તેમ કરો. જો કર્મના ઉદયનો પણ
નિશ્ચય ન હોય, અને કેવળ ઇષ્ટઅનિષ્ટ બાહ્યકારણોના સંયોગવિયોગનો ઉપાય કરે, તોપણ
કુદેવને માનવાથી ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ કાંઈ દૂર થતી નથી, પરંતુ કેવળ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે.
વળી તેથી પુણ્યબંધ પણ થતો નથી, પાપબંધ જ થાય છે. એ કુદેવો કોઈને ધનાદિક આપતા
કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી એ બાહ્યકારણ પણ નથી, તો એની માન્યતા શામાટે
કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમબુદ્ધિ થાય, જીવાદિતત્ત્વોના શ્રદ્ધાન
જ્ઞાનનો અંશ પણ
૧૭૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક