Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 173 of 370
PDF/HTML Page 201 of 398

 

background image
શ્રી યોગેન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે
चेल्ला-चेल्ली पुत्थियहिं तूसइ मूढु णिभंतु
एयहिं लज्जइ णाणियउ बंधहं हेउ मुणंतु ।।२१५।।
અર્થઃચેલાચેલી અને પુસ્તકો વડે તો મૂઢ સંતુષ્ટ થાય છે, પણ ભ્રાંતિરહિત એવો
જ્ઞાની, તેને બંધનું કારણ જાણી, તેનાથી લજ્જાયમાન થાય છે.
केण वि अप्पउ वंचियउ सिरु लुंचिवि छारेण
सयल वि संग ण परिहरिय जिणवर लिंगधरेण ।।२१७।।
અર્થઃજે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, તે જીવ ક્યો? કે જે જીવે જિનવરનું
લિંગ ધાર્યું, રાખવડે માથાનો લોચ કર્યો, પણ સમસ્ત પરિગ્રહ છોડ્યો નહિ.
जे जिण-लिंगु धरेवि मुणि इट्ठ परिग्गह लेंति
छद्दि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ।।२१८।।
અર્થઃહે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટપરિગ્રહને ગ્રહણ કરે છે, તે ઊલટી કરીને
તે જ ઊલટીને પાછો ભક્ષણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે; ઇત્યાદિ ત્યાં કહ્યું છે.
એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેનાં આચરણ, અને તેની સુશ્રુષાનો નિષેધ કર્યો છે,
તે જાણવો.
વળી જ્યાં મુનિને ધાત્રી દૂત આદિ છેતાલીસ દોષ* આહારાદિમાં કહ્યાં છે, ત્યાં
१.गृहस्थो मोक्षमार्गस्थो, निर्मोहो नैव मोहवान्
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।।
અર્થઃદર્શનમોહવિનાનો ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, પણ મોહવાન એવો અણગાર અર્થાત્
ગૃહરહિત મુનિ મોક્ષમાર્ગી નથી, તેથી મોહીમુનિ કરતાં દર્શનમોહરહિત ગૃહસ્થ સર્વોત્કૃષ્ટ છે. ભાવાર્થ
જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી, એવો અવ્રતસમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે. કારણ કેસાત આઠ ભવ
દેવમનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષે જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદ્રષ્ટિ સાધુ થયો છે, તોપણ
મરીને ભવનત્રયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. (श्रीरत्नकरण्डश्रावकाचार)
સંગ્રાહકઅનુવાદક.
* એ છેંતાલીસ દોષ આ પ્રમાણે છેઃ
દાતારઆશ્રયી સોળ પ્રકારના ઉદ્ગમ દોષનું વર્ણનઃ
૧. ઔદેશિકદોષઅઠ્ઠાવીસ મૂલગુણોને ધારવાવાળા નિર્ગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી
જે આહાર બનાવવામાં આવે, તે ઔદેશિકદોષવાળો આહાર છે. એ ઔદેશિકદોષસહિત આહારના ચાર
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૮૩