તેમાં સદા હોય છે, પણ તે વ્યક્ત છતાં જ સ્વભાવ વ્યક્ત થયો’ કહેવામાં આવે છે.
વળી જેમ શીતળસ્વભાવના કારણે ઉષ્ણજળને શીતળ માની તેનું પાનાદિ કરીએ, તો
તેથી દાઝવું જ થાય, તેમ કેવળજ્ઞાનસ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળજ્ઞાની માની
અનુભવવામાં આવે, તો તેથી દુઃખી જ થાય.
એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.
વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદિરહિત
માને છે. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે, તે ક્યા દ્રવ્યના
અસ્તિત્વમાં છે? જો શરીર વા કર્મરૂપ પુદ્ગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતન વા
મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિકભાવ જણાય છે, માટે એ
ભાવો આત્માના જ છે.
શ્રી સમયસાર-કળશમાં પણ કહ્યું છે કે —
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो-
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः ।
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।२०३।।
એ રાગાદિરૂપ ભાવકર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી, કેમકે એ કાર્ય-
ભૂત છે, તથા જીવ અને કર્મપ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી, કારણ — જો એમ હોય તો
અચેતન કર્મપ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ સુખ-દુઃખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ
છે; તથા એકલી કર્મપ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી, કારણ — કે તેને અચેતનપણું પ્રગટ છે, માટે
એ રાગાદિકનો કર્તા જીવ જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે, કારણ કે – ભાવકર્મ
તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી.
એ પ્રમાણે રાગાદિકભાવ જીવના અસ્તિત્વમાં છે.
હવે જે રાગાદિકભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે,
તે કર્તા તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્યમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ
ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે.
શ્રી સમયસાર-કળશમાં પણ એમ જ કહ્યું છે કે –
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते ।
उत्तरन्ति न हि मोहवाहिनीं शुद्धबोधविधुरान्धबुद्धयः ।।२२१।।
૨૦૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક