Moksha Marg Prakashak (Gujarati). Sadhunu Swaroop Poojyatvanu Karan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 398

 

background image
ધર્મબુદ્ધિવાનને ભણાવે છે, એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી
ઉપાધ્યાય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
સાધાુનું સ્વરુપ
એ બે પદવીધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, આત્મસ્વભાવને સાધે
છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટપણું માની ફસાય નહિ વા ભાગે નહિ તેમ
ઉપયોગને સાધે છે, બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે વા કદાચિત્
ભક્તિ
વંદનાદિ કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠીને અમારા
નમસ્કાર હો.
પૂજ્યત્વનું કારણ
એ પ્રમાણે એ અર્હંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ
અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ કે જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ
રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિકની
હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અર્હંત
સિદ્ધને તો સંપૂર્ણ
રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે તથા
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ
વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
તેમાં પણ એમ સમજવું કેએ અર્હંતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા
ગૌણપણે સર્વ કેવલીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં
અર્હત્ એવું નામ જાણવું. વળી ચૌદમા ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ
જાણવું.
વળી જેને આચાર્યપદ પ્રાપ્ત થયું હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મધ્યાન કરો
વા એકલવિહારી હો વા આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધરપદના ધારક હો, એ સર્વનું
નામ આચાર્ય કહેવામાં આવે છે.
વળી પઠનપાઠન તો અન્ય મુનિ પણ કરે છે, પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાય
પદ પ્રાપ્ત થયું હોય તે આત્મધ્યાનાદિક કાર્ય કરવા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે.
તથા જે પદવીધારક નથી તે સર્વ મુનિ સાધુસંજ્ઞાના ધારક જાણવા.
અહીં એવો કોઈ નિયમ નથી કેપંચાચાર વડે જ આચાર્યપદ હોય છે, પઠનપાઠનાદિ
વડે ઉપાધ્યાય પદ હોય છે તથા મૂલગુણના સાધનવડે સાધુ પદ હોય છે, કારણ એ ક્રિયાઓ
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૫