Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 398

 

background image
आचार्यः स्यादुपाध्यायः साधुश्चेति त्रिधागतिः स्युर्विशिष्टपदारूढास्त्रयोऽपि मुनिकुञ्जराः ।।
एको हेतुः क्रियाप्येका विधञ्चैको वहिः समः तपो द्वादशधा चैकं व्रतं चैकं पंचधा ।।
त्रयोदशविधं चैकं चारित्रं समतैकधा मूलोत्तरगुणाश्चैको संयमोऽप्येकधा मतः ।।
परिषहोपसर्गाणां सहनं च समं स्मृतम् आहारादिविधिश्चैकश्चर्यास्थानासनादयः ।।
मार्गो मोक्षस्य सद्दष्टिर्ज्ञानं चारित्रमात्मनः रत्नत्रयं समं तेषामपि चान्तर्बहिःस्थितिम् ।।
ध्याता ध्यानं च ध्येयश्च ज्ञाता ज्ञान च ज्ञेयसात् चतुर्विधाराधनापि तुल्या क्रोधादिजिष्णुता ।।
किंवात्र बहुनोक्ते न तद्विशेषोऽवशिष्यते विशेषाच्छेषनिःशेषो न्यायादस्त्यविशेषभाक् ।।
एवं मुनित्रयी ख्याता महतो महतामपि तद्विशुद्धिविशेषोऽस्ति क्रमात्तरतमात्मकः ।।
અર્થઃઆચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ
પદો ઉપર આરૂઢ છે આર્થાત્ વિશેષ-વિશેષ પદોના ભેદથી જ તેઓના ત્રણ ભેદો છે. બાકી તો
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણે પ્રકારના કષાયોનો અભાવ હોવાથી
પરિગ્રહ માત્રનો ત્યાગ કરી એ ત્રણે મોક્ષપ્રાપ્તિ અર્થે મુનિ થયા છે તેથી એ ત્રણેનો હેતુ એક છે.
બાહ્ય વ્રતાચરણરૂપ ક્રિયા તથા નિર્ગ્રંથ અવસ્થા એ ત્રણેની સમાન છે. બાર પ્રકારનું તપશ્ચરણ, પાંચ
મહાવ્રત, તેર પ્રકારનું ચારિત્ર, સમતાભાવ, અઠ્ઠાવીસ મૂલગુણ, ચોરાશી લાખ ઉત્તરગુણ અને સંયમ
એ ત્રણેના સમાન છે. બાવીસ પરિષહ-ઉપસર્ગ સહનતા, આહારચર્યાવિધિ, સ્થાન અને આસન વગેરે
એ ત્રણેના સમાન છે. અંતર્બાહ્ય સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય અર્થાત્ મોક્ષમાર્ગ પણ એ ત્રણેનો
સમાન છે. ધ્યાતાધ્યાનધ્યેય, જ્ઞાતાજ્ઞાનજ્ઞેય તથા દર્શનજ્ઞાનચારિત્ર અને તપ એ ચાર પ્રકારની
સમ્યક્ આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો પણ એ ત્રણેનો સમાન છે. વધારે
શું કહીએ? ટૂંકામાં એટલું જ કે, એ ત્રણે પ્રકારનાં મુનિજનો ઉપર પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે.
ભેદ માત્ર એટલો જ છે કે, પોતપોતાના પદાનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીં રહી જાય
છે. તે સિવાય બાકીની સર્વ ક્રિયા વા પ્રકારો એ ત્રણેના સમાન છે એ વાત ન્યાયથી સિદ્ધ છે. આચાર્ય,
ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે. જોકે તેમના મૂલગુણો વા ઉત્તરગુણો
સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે તોપણ તેમના કાર્યની અપેક્ષાએ તરતમરૂપે એ ત્રણેમાં પરસ્પર
ભેદ છે.
ભાવાર્થઃએ ત્રણેનાં કાર્ય અલગ અલગ હોવાથી તેમનાં પદ પણ અલગ અલગ છે. અર્થાત્
આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે. ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે
તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે. એ પ્રમાણે એ ત્રણેમાં
પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ જ તરતમરૂપે વિશેષતા છે.
(શ્રી લાટીસંહિતા સર્ગ ૪ થો, શ્લોક ૧૬૦ થી ૧૬૬ તથા શ્લોક ૧૯૭અનુવાદક.)
તો સર્વ મુનિજનોને સાધારણરૂપ છે, પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ એવો કરવામાં આવે
છે. પણ સમભિરૂઢનયથી પદવીની અપેક્ષાએ જ એ આચાર્યાદિક નામ જાણવાં. જેમ
શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે! એટલે
સમભિરૂઢનયથી પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવું.
૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક