Moksha Marg Prakashak (Gujarati). Swadravya-pardravyana Chintavana Vade Nirjara-bandhano Pratibandh.

< Previous Page   Next Page >


Page 204 of 370
PDF/HTML Page 232 of 398

 

background image
૨૧૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે તેને તું વૈરાગ્ય માને
છે; પણ એવાં જ્ઞાન
વૈરાગ્ય તો કષાયગર્ભિત છે. વીતરાગરૂપ ઉદાસીનદશામાં તો જે
નિરાકુળતા થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્રમોહની હીનતા થતાં
પ્રગટ થાય છે.
વળી તે વ્યાપારાદિ કલેશ છોડી ઇચ્છાનુસાર ભોજનાદિવડે સુખી થતો પ્રવર્તે છે, અને
પોતાને ત્યાં કષાયરહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન હોય છે.
અને જ્યાં સુખસામગ્રી છોડી દુઃખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ
દ્વેષ ન ઊપજે
ત્યાં નિષ્કષાયભાવ હોય છે.
એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે.
એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ
વેદાંતી વા સાંખ્યમતવાળા જીવ કેવળશુદ્ધાત્માના શ્રદ્ધાની છે, તેમ આ પણ જાણવા; કારણ કે
શ્રદ્ધાનની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઇષ્ટ લાગે છે, અને આનો ઉપદેશ તેમને ઇષ્ટ
લાગે છે.
સ્વદ્રવ્યપરદ્રવ્યનાં ચિંતવનવMે નિર્જરાબંધાનો પ્રતિબંધા
વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કેકેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવરનિર્જરા થાય
છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું
અને પોતાના સિવાય અન્ય જીવ
પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આસ્રવબંધ થાય છે, માટે
તે અન્ય વિચારથી પરાઙ્મુખ રહે છે.
એ પણ સત્યશ્રદ્ધાન નથી; કારણ કેશુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતવન કરો અથવા અન્ય ચિંતવન
કરો, પણ જો વીતરાગસહિત ભાવ હોય, તો ત્યાં સંવરનિર્જરા જ છે અને જ્યાં રાગાદિરૂપ
ભાવ હોય, ત્યાં આસ્રવબંધ જ છે; જો પરદ્રવ્યને જાણવાથી જ આસ્રવબંધ થાય તો
કેવળીભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે, તેથી તેમને પણ આસ્રવબંધ થાય.
પ્રશ્નઃછદ્મસ્થને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવબંધ થાય છે?
ઉત્તરઃએમ પણ નથી. કારણ કે શુકલધ્યાનમાં પણ મુનિઓને છએ દ્રવ્યોનાં દ્રવ્ય-
ગુણપર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિમનઃપર્યયાદિમાં પરદ્રવ્યને જાણવાની જ
વિશેષતા હોય છે, વળી ચોથાગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને પણ
આસ્રવ
બંધ વધારે છે, તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમાછઠ્ઠા ગુણસ્થાનમાં આહાર
વિહારાદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસ્રવબંધ થોડો છે, અને ગુણશ્રેણી
નિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્યનાપરદ્રવ્યના ચિંતવનથી નિર્જરાબંધ નથી, પણ રાગાદિક