Moksha Marg Prakashak (Gujarati). Nirvikalp Dashano Vichar.

< Previous Page   Next Page >


Page 205 of 370
PDF/HTML Page 233 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૫
ઘટતાં નિર્જરા છે. તથા રાગાદિક થતાં બંધ છે, તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી,
તેથી અન્યથા માને છે.
નિર્વિકલ્પ દશાનો વિચાર
પ્રશ્નઃજો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નયપ્રમાણનિક્ષેપાદિનો
વા દર્શનજ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ?
ઉત્તરઃજે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના
આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કેએ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય
કરવા માટે કારણ છે, વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી; માટે એ વિકલ્પોને
પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાય
રહેવું યોગ્ય નથી.
વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કેસામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન
રહ્યા કરે, ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે. પણ તે
વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
પ્રશ્નઃત્યાં તો ઘણા વિકલ્પ થયા. તો નિર્વિકલ્પદશા કેવી રીતે સંભવે છે?
ઉત્તરઃનિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમકે છદ્મસ્થનું જાણવું વિચાર સહિત
હોય છે, તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું, પણ
આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે.
વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિએમ કહીએ, તો
સામાન્યનો વિચાર તો ઘણોકાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ
ભાસતું નથી.
અહીં જો એમ કહીએ કે‘પોતાનો જ વિચાર રહે છે, પરનો નહિ.’ પણ પરમાં
પરબુદ્ધિ થયા વિના, નિજમાં નિજબુદ્ધિ કેવી રીતે આવે?
ત્યારે તે કહે છે કે‘‘શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે
भावयेत् भेदविज्ञानमिदमच्छिन्नधारया
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।। (કળશ૧૩૦)
અર્થઃઆ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કેજ્યાંસુધી પરથી છૂટી જ્ઞાન
જ્ઞાનમાં સ્થિર થાય, માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને
જ જાણ્યા કરે છે.’’