Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 207 of 370
PDF/HTML Page 235 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૭
પ્રશ્નઃજો એમ છે, તો મહામુનિ પરિગ્રહાદિના ચિંતવનનો ત્યાગ શામાટે કરે છે?
ઉત્તરઃજેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરોનો ત્યાગ કરે છે, તેમ
વીતરાગ પરિણતિ રાગદ્વેષના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે; પણ જે વ્યભિચારનાં કારણ
નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગદ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય
જાણવાનો ત્યાગ નથી.
ત્યારે તે કહે છે કેજેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય,
પણ પ્રયોજન વિના જેનાતેના ઘરે જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત
તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે, પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય
નથી.
સમાધાનઃજેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, તેમ
પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. અહીં એમ
જાણવું કે
જેમ શીલવતી સ્ત્રી ઉદ્યમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ
પરવશતાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે, તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ
વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું
થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી સ્ત્રી આદિનો પરિષહ
મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે
એમ
માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી.
એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃજો એમ છે, તો શાસ્ત્રમાં એમ શામાટે કહ્યું છે કેઆત્માનું
શ્રદ્ધાનજ્ઞાનઆચરણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે?
ઉત્તરઃઅનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતારૂપે શ્રદ્ધાનજ્ઞાનઆચરણ હતું તેને
છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાનજ્ઞાનઆચરણ થવાથી પરદ્રવ્યમાં
રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાનજ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય
છે; પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો
કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું
જાણવું થાય ત્યાં તો રાગ
દ્વેષ સહજ જ થયા; પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ
યથાર્થ જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તન કરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક થાય છે
એમ જાણવું.
માટે ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન