Moksha Marg Prakashak (Gujarati). Pariksharahit Agnyanusari Dharmadharak Vyavharabhasi.

< Previous Page   Next Page >


Page 210 of 370
PDF/HTML Page 238 of 398

 

background image
૨૨૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધાર્મધાારક વ્યવહારાભાસી
વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે,
પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના
શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી
જિનઆજ્ઞા માનવી યોગ્ય છે.
કારણ કે પરીક્ષા કર્યા વિના સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? અને નિર્ણય કર્યા
વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ આણે જૈનશાસ્ત્રની આજ્ઞા માની,
એ તો પક્ષવડે જ આજ્ઞા માનવા બરાબર છે.
પ્રશ્નઃતો શાસ્ત્રમાં દશ પ્રકારના સમ્યક્ત્વમાં આજ્ઞાસમ્યક્ત્વ કહ્યું છે,
આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિઃશંકિતઅંગમાં જિનવચનમાં સંશય
કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે?
ઉત્તરઃશાસ્ત્રમાં કોઈ કથન તો એવાં છે કે જેની પ્રત્યક્ષઅનુમાનાદિવડે પરીક્ષા
કરી શકાય છે, તથા કોઈ કથન એવાં છે કે જે પ્રત્યક્ષઅનુમાનાદિગોચર નથી, તેથી તે
આજ્ઞાવડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદાજુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો
પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષ
અનુમાનાદિગોચર હોય તેની તો પરીક્ષા કરવી, તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે, તે
શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ
અનુમાનાદિગોચર નથી એવાં કથન કર્યાં હોય તેની પણ પ્રમાણતા કરવી,
તથા જે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, તેના સર્વ કથનની અપ્રમાણતા માનવી.
પ્રશ્નઃપરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ
કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે, તો શું કરવું?
ઉત્તરઃજે આપ્તભાષિત શાસ્ત્ર છે, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણવિરુદ્ધ હોય
નહિ, કારણ કેજેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગદ્વેષ હોય, તે જ
અસત્ય કહે; હવે આપ્ત એવા હોય નહિ. તેં પરીક્ષા બરાબર કરી નથી, માટે ભ્રમ છે,
પ્રશ્નઃછદ્મસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું?
ઉત્તરઃસત્યઅસત્ય બંને વસ્તુઓને કસવામાં તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં
આવે તો સાચી જ પરીક્ષા થાય; પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે, ત્યાં
જ અન્યથા પરીક્ષા થાય છે.
પ્રશ્નઃશાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણાં છે, તો કોની કોની પરીક્ષા કરીએ?