Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 212 of 370
PDF/HTML Page 240 of 398

 

background image
૨૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પણ કેટલાક પાપીપુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જિનવચન ઠરાવ્યું છે તેને
જૈનમતનાં શાસ્ત્ર જાણી પ્રમાણ ન કરવું. ત્યાં પણ પ્રમાણાદિથી પરીક્ષા કરી વા પરસ્પર શાસ્ત્રોથી
તેની વિધિ મેળવી, વા ‘‘આ પ્રમાણે સંભવિત છે કે નહિ?’’ એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને
મિથ્યા જ જાણવો.
જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળાની જગ્યાએ કોઈ શાહુકારનું નામ લખ્યું
હોય, ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય; તેમ કોઈ
દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય
ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાદ્રષ્ટિ જ થાય.
પ્રશ્નઃતો ગોમ્મટસાર ગાથા ૨૭માં એમ કહ્યું છે કે‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવ
અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યગ્દ્રષ્ટિ જ
છે’’
એ કથન કેવી રીતે કર્યું છે?
ઉત્તરઃજે પ્રત્યક્ષઅનુમાનાદિગોચર નથી, તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ
શકે તેની અપેક્ષાએ એ કથન છે, પણ મૂળભૂત દેવગુરુધર્માદિક વા તત્ત્વાદિકનું અન્યથા
શ્રદ્ધાન થતાં તો સમ્યગ્દર્શન સર્વથા રહે જ નહિએવો જ નિશ્ચય કરવો, માટે પરીક્ષા કર્યા
વિના કેવળ આજ્ઞાવડે જ જે જૈની છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી, માત્ર
દયાશીલતપસંયમાદિ ક્રિયાઓવડે, પૂજાપ્રભાવનાદિ કાર્યોવડે, અતિશયચમત્કારાદિવડે વા
જૈનધર્મથી ‘ઇષ્ટિપ્રાપ્તિ થવાના કારણે જૈનમતને ઉત્તમ જાણી પ્રીતિવાન થઈ જૈની થાય છે. પરંતુ
અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાપ્તિ દોષ હોય છે.
પ્રશ્નઃએ કાર્યો જૈનધર્મમાં જેવાં છે, તેવાં અન્યમતમાં હોતાં નથી, તેથી
ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી?
ઉત્તરઃએ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવાં તું દયાદિક માને છે, તેવાં તો
તેઓ પણ નિરૂપણ કરે છે. પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે
છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં.
ત્યારે તે કહે છે કેતેમનામાં એ બરાબર નથી, કેમકે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે
છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે.
१.सम्माइट्ठी जीवो उवइट्ठं पवयणं तु सद्दहदि
सद्दहदि असब्भावं अजाणमाणां गुरुणियोगा ।।२७।। (જીવકાંડ)