Moksha Marg Prakashak (Gujarati). Jainabhasani Sudev-guru-shastra Bhaktinu Mithyapanu Devbhaktinu Anyatharoop.

< Previous Page   Next Page >


Page 216 of 370
PDF/HTML Page 244 of 398

 

background image
૨૨૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરંતુ તેના ગુણઅવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે, તો
તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્યલક્ષણો વડે પરીક્ષા કરે છે, અને એવી
પ્રતીતિવડે તેઓ સુદેવ
ગુરુશાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ
જૈનાભાસાનીે સુદેવ-ગુરુ-શાસ્ત્ર ભકિતનું મિથ્યાપણું
દેવભકિતનું અન્યથારુપ
અર્હંતદેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિદોષ રહિત
છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે; સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિવડે ઉપદેશ આપે
છે, કેવલજ્ઞાનવડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ
ક્રોધાદિ નાશ કર્યા છેઇત્યાદિ વિશેષણ
કહે છે; તેમાં કેટલાક વિશેષણ તો પુદ્ગલાશ્રિત છે તથા કેટલાક વિશેષણ જીવાશ્રિત છે, તેને
ભિન્ન
ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન
જાણી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અરહંતપર્યાયમાં જીવ
પુદ્ગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદ્રષ્ટિપણું ધારણ કરે છે.
વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને
છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું
આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા માને છે.
જો જીવનાં યથાવત્ વિશેષણો જાણે તો
મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
વળી તે અરહંતોને સ્વર્ગમોક્ષદાતા, દીનદયાળ, અધમોદ્ધારક અને પતિતપાવન માને
છે, તે તો જેમ અન્યમતીઓ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અરહંતને માને છે,
પણ એમ નથી જાણતો કે
ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. તેને અરહંત તો નિમિત્તમાત્ર
છે, તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે.
પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ મોક્ષાદિ દાતા નથી. વળી
અરહંતાદિકના નામાદિકથી શ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે,
પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો ક્યાંથી
થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને
સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે.
વળી અરહંતાદિના નામપૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની
પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ
કરે છે. પણ ઇષ્ટ
અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી,
અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે