Moksha Marg Prakashak (Gujarati). Jiv-Ajiva Tattvanu Anyatharoop Jivajivatattvana Shraddhanani Ayatharthata.

< Previous Page   Next Page >


Page 219 of 370
PDF/HTML Page 247 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૨૯
લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી; અને ત્યાં તો
તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?
ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ
જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ
અને તાલ-તાનના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી, અને સ્વરૂપ
ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો
નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યક્ત્વી થવા
અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી,
અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ
માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત્વ થતું નથી. વળી જેમ કોઈ
સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે
તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના
સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી
પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના
સ્વરૂપને ઓળખે છે કે ‘‘ આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,’’ એ
પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે.
શિવભૂતિમુનિ જીવાદિકનાં નામ જાણતા
નહોતા અને ‘तुषमाषभिन्न’ (ભાવપાહુડ ગા. ૫૩) એમ રટવા લાગ્યા. હવે એ સિદ્ધાંતનો
શબ્દ નહોતો પરંતુ સ્વપરના ભાવરૂપ ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાની થયા; અને અગિઆર
અંગનોે પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે
મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
હવે તેને તત્ત્વશ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે તે અહીં કહીએ છીએ
જીવ-અજીવતત્ત્વનું અન્યથારુપ
જીવાજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
જૈનશાસ્ત્રોથી જીવના ત્રસ-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે.
અજીવના પુદ્ગલાદિભેદોને તથા તેના વર્ણાદિભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદ-
વિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.
વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય, ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે,
तुसमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य
णामेण य सिवभूई केवलणाणी फु डं जाओ ।।५३।। (ભાવપાહુડ)